________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪: આત્મભાવના
છૂટવાનો ઉપાય છે.
આત્મા અને શરીર વગેરે પદાર્થોનું સ્વરૂપ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાની-અંતરાત્મા જાણે છે. આત્મા તો જ્ઞાન-આનંદસ્વરૂપ છે, ને શરીર તો જડ-અચેતન-અનાત્મા છે; અજીવ છે; તે અજીવમાં સુખદુ:ખ કે જ્ઞાન નથી; મારી સત્તા તે અજીવથી ત્રણેકાળે જુદી છે. આમ ભેદજ્ઞાન વડે જે નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે, તે સુખને વેદે છે. (૫૭)
* * **
વચનઅગોચર સ્વસંવેદ્ય તત્ત્વની ભાવના. સ્વાનુભૂતિગમ્ય આત્મા વચનથી કેમ બતાવાય ?
જ્ઞાની અંતરાત્મા નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે–એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન પૂછે છે કેઃ જો અંતરાત્મા સ્વયં પોતાના આત્માને આવો અનુભવે છે તો બીજા મૂઢ આત્માઓને પણ તેનું પ્રતિપાદન કરીને કેમ સમજાવી દેતા નથી-કે જેથી તે અજ્ઞાનીઓ પણ તેને જાણે!–જો પોતે સમજ્યા તો બીજાને પણ કેમ સમજાવી દેતા નથી ?-તેના ઉત્તરમાં આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે
अज्ञापतिं न जानंति यथां मां शापितं तथा। मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ।। ५८ ।।
જેણે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ જાણ્યું છે એવા અનુભવી ધર્માત્મા વિચારે છે કેઃ અહો, આ અચિંત્ય આત્મતત્ત્વ જગતને
Please inform us of any errors on rajesh @AtmaDharma.com