________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨૨: આત્મભાવના
સહિત નાસ્તિની વાત છે એટલે કે ‘જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા હું છું’–એમ આત્માને લક્ષમાં લેતાં દેહાદિમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. આ રીતે દેહથી ભિન્ન આત્માને જાણ્યા વગર સુખની પ્રાપ્તિ થાય નહિ; કેમકે સુખની સત્તા તો આત્મામાં છે, કાંઈ દેહમાં સુખ નથી. જ્યાં સુખની સત્તા છે તેને જાણ્યા વગર કદી સુખ થાય નહિ; શરીરમાંથી કે ઇન્દ્રિયવિષયોમાંથી સુખ લેવા માંગે તો અનંતકાળે પણ તે મળે તેમ નથી, કેમકે તેમાં સુખનું અસ્તિત્વ છે જ નહિ.
હે જીવ! એકવાર તું વિચાર તો કર કે જે સુખને તું ચાહે છે તે સુખ ક્યાં છે? તું જે સુખને મેળવવા માંગે છે તે સુખનું અસ્તિત્વ કયે ઠેકાણે છે? જે વસ્તુ મેળવવા માંગે તેનું અસ્તિત્વ તો ક્યાંક હોવું જ જોઈએ. તેના અસ્તિત્વને કબૂલ્યા વગર તે મેળવવાની ભાવના કેમ થાય? તું સુખ મેળવવા માંગે છે તો ‘સુખ ક્યાંક છે’–એમ તો તું કબૂલે છે. તો તે સુખ શેમાં છે તેનો વિચાર કર. અને બીજું-તું સુખ મેળવવા માંગે છે તેનો અર્થ એ પણ થયો કે વર્તમાનમાં તને સુખ નથી પણ દુ:ખ છે; તો તે દુ:ખ શા કારણે છે? તેનો પણ વિચાર કર. ભાઈ ! તું દુ:ખી છે ને સુખી થવા માંગે છે, તો દુઃખ કેમ છે અને સુખ ક્યાં છે એ બે વાત જાણવી જોઈએ.
પ્રથમ તું વિચાર કર કે સુખ ક્યાં છે? શું આ દેહમાં સુખ છે? દેહ તો અચેતન છે, તેમા મારું સુખ નથી. ઇંદ્રિયવિષયો-સ્પર્શરસ-ગંધ-રૂપ-શબ્દ વગેરેમાં પણ મારું સુખ નથી; કેમકે અનાદિકાળથી તે વિષયો પ્રત્યે મેં વલણ કર્યું છતાં મને કિંચિત્ સુખ ન મળ્યું. માટે તે વિષયોમાં મારું સુખ નથી. બાહ્ય વિષયો તરફના વલણથી જે રાગદ્વેષની લાગણી થાય છે તેમાં આકુળતા છે તેથી તે દુઃખરૂપ છે, તેમાં પણ મારું સુખ નથી. મારા સુખની સત્તા કોઈ બાહ્યપદાર્થમાં નથી, મારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com