________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના ર૨૧ ને તેનાથી બાહ્ય સમસ્ત પદાર્થોને અનાત્મા તરીકે દેખ. ધર્મીને પર તરફ લક્ષ જાય ત્યારે તે પરને પર તરીકે જ જાણે છે, તેમાં ક્યાંય આત્મબુદ્ધિ થતી નથી; નિરંતર ભેદજ્ઞાન વર્તી રહ્યું છે, આત્મજ્ઞાનની ધારા અચ્છિન્નપણે ચાલી જ રહી છે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! ચૈતન્ય તરફ વળીને તું તારા આત્માને નિરંતર ચેતના સ્વરૂપે જ દેખ, ને દેહાદિને અનાત્મા તરીકે તારાથી જુદા જ દેખ. અંતરાત્મા તો આમ દેખે જ છે, પણ બહિરાત્માને સમજાવે છે કે તું પણ આમ દેખ,તો તારું અનાદિનું બહિરાત્મપણું ટળે ને અંતરાત્માપણું થાય એટલે દુઃખ ટળીને સમાધિ થાય. જેને ભેદજ્ઞાન થઈ ગયું છે એવા ધર્માત્માને તો પ્રત્યેક ક્ષણે-સૂતાં કે જાગતાં, ખાતાં કે પીતાં, ચાલતાં કે બોલતાંનિરંતર પોતાનો આત્મા દેહાદિથી અત્યંત ભિન્ન જ ભાસે છે, દેહાદિકને સદા જડરૂપે જ તે દેખે છે...રાગ-દ્વેષના પરિણામને પણ અનાત્મા તરીકે દેખે છે ને તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ પોતાને નિરંતર દેખે છે...આત્મા-અનાત્માનું જે ભેદજ્ઞાન થયું તે ભેદજ્ઞાનની ભાવના ને જાગૃતિ જ્ઞાનીને નિરંતર વર્યા જ કરે છે.
મારો આત્મા તો જ્ઞાન-આનંદથી ભરેલો અરૂપી પદાર્થ છે, આ શરીર તે હું નથી. જેમ મકાનમાં રહેલો માણસ તે મકાનથી જુદો છે, મકાન તે માણસ નથી; તથા વસ્ત્ર પહેરનારો વસ્ત્રથી જુદો છે, તેમ આ દેહરૂપી મકાનમાં રહેલો આત્મા દેહથી જાદો છે, દેહ તે આત્મા નથી. મકાન પડી જાય ને માણસ જીવતો રહે, વસ્ત્ર ફાટી જાય ને પહેરનાર ટકી રહે, તેમ દેહુ નષ્ટ થઈ જાય ને આત્મા તો કાયમ ટકી રહે, આવો અરૂપી-જ્ઞાનમય આત્મા હું છું. એમ આત્માને અંતરમાં સ્થિર થઈને દેખવો, ને દેહાદિને પોતાથી ભિન્ન દેખવા. દેહ તે હું નથી–એમ સામાન્યપણે વિચારે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે-તે જો ન જાણે તો ખરેખર તેણે દેહથી જાદો આત્મા માન્યો નથી. માટે અહીં તો અસ્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com