________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮: આત્મભાવના જાગૃતિ કરે છે. તે ચૈતન્યતત્ત્વમાં જાગૃતિ નથી કરતો, ત્યાં તો મૂઢ થઈને સુસ છે, ને જડ પદાર્થોને જ પોતાના માનીને તથા પોતાના જડરૂપ માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા અજ્ઞાનભાવને લીધે બહિરાભાજીને આ સંસારમાં મિથ્યાષ્ટિને યોગ્ય એક્રય ભવ બાકી રાખ્યા નથી, ચારે ગતિમાં અનંતવાર જન્મી ચૂક્યો છે. શરીરને પોતાનું માનીને શરીરો જ ધારણ કર્યા છે, અશરીરી ચૈતન્યસુખને કદી ચાખ્યું નથી.
નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના અવતારમાં તો મૂઢ જીવ એવો સુપુત હતો કે તેનામાં વિચારશક્તિ જ ન હતી કે “હું કોણ છું? ક્યારેક અનંતકાળે પંચેન્દ્રિય-સંજ્ઞી થયો ને જ્ઞાનમાં વિચારશક્તિ જાગૃત થઈ ત્યારે પણ મૂઢતાને લીધે અનાત્મભૂત એવા શરીરાદિને જ પોતાનું રૂપ માન્યું, પણ દેહાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વ હું છું-એમ જાણ્યું નહીં. આ રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપ સિવાય બીજે ક્યાંક આત્મબુદ્ધિ કરીકરીને જીવ સંસારમાં રખડયો છે. અંતરમાં જ્ઞાતાદષ્ટા સ્વભાવની દષ્ટિ વગર, રાગને જ પોતાનું વેદન માનીને, કોઈકવાર અગિયાર અંગ તથા નવપૂર્વ સુધીનો જ્ઞાનનો ઉઘાડ થયો ત્યારે પણ તેણે રાગાદિરૂપ અનાત્મભાવને જ આત્મા માન્યો, પણ આત્માના રાગથી ભિન્ન ચેતનામય વાસ્તવિક સ્વરૂપને ન જાણ્યું. તેણે જ્ઞાનનો વિષય આત્મા ન બનાવ્યો, પણ અનાત્મા સાથે જ જ્ઞાનને એકાકાર માન્યું.
ચૈતન્યસ્વરૂપને લક્ષમાં લઈને તેમાં એકતા કર્યા વગર જ્ઞાનના ઉઘાડને પરવિષયોમાં જ જે રોકે છે, તેના જ્ઞાનનો વિષય અનાત્મા જ છે, આત્મવિષયમાં તો તે ઊંઘે જ છે, આત્માને જાણવા માટે જ્ઞાનની જાગૃતિ તેને થઈ નથી અને પ્રભુ! અનંતકાળમાં તે કદી તારા આત્માને જાણ્યો નથી, ને અનાત્માને જ જ્ઞાનનો વિષય બનાવીને તેને જ તે આત્મભૂત માન્યા છે. અનાત્મા કહેતાં એકલું શરીર જ ન લેવું શરીર તો જડ અનાત્મા છે જ, પણ જે જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com