________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૧૭ આત્માને જાણીને ભેદજ્ઞાનવડે દિન-રાત તેની જ ભાવના કર. અજ્ઞાનભાવનાને લીધે દિનરાત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું જ રટણ અજ્ઞાની જીવ કરી રહ્યો છે, પરંતુ પરદ્રવ્ય કદી અંશમાત્ર આત્માનું થતું નથી, તેથી તેને માત્ર આકુળતા અને દુઃખનું જ વેદના થાય છે. જો સ્વદ્રવ્યને પરથી ભિન્ન જાણીને, સ્વરૂપની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે તો અંતર્મુહુર્તમાં તેની પ્રાપ્તિ થાય એટલે કે નિરાકુળ સુખનો અનુભવ થાય. અહીં બહિરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે છોડવાનો ઉપદેશ છે, અને અંતરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે પ્રગટ કરવાનો ઉપદેશ છે. (૫૫)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
અનાત્મામાં આત્મબુદ્ધિવડે અજ્ઞાની જીવો દુઃખી છે
અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેમાં એક ક્ષણ પણ તેણે સમાધિ પ્રાપ્ત કરી નથી. સમ્યગ્દર્શન તે પહેલી સમાધિ છે; તેના વગર અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કારને લીધે બહિરાત્માની દશા કેવી થઈ છે તે બતાવે છે
चिंर सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु।
अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति।।५६ ।।
શરીરને જ આત્મા માનીને આ મૂઢ અજ્ઞાની મૂર્ણ જીવ મિથ્યાત્વરૂપી અંધકારને લીધે અનાદિકાળથી નિગોદ અને નરકાદિ કુયોનિઓમાં સુષુપ્ત છે, મૂર્છાઈ ગયો છે, જ્ઞાનશક્તિ હણાઈને જડ જેવો થઈ ગયો છે; જે આત્માનું સ્વરૂપ નથી એવા અનાત્મભૂત શરીર-સ્ત્રી-પુત્રાદિમાં “આ મારો છે ને તે જ છું” એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com