________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૧૫ જુદા જાણે છે, આત્માને દેહાદિથી અત્યંત જુદો જાણીને તેની જ ભાવના ભાવે છે. આત્મા સિવાય બહારની કોઈ ચીજને તે પોતાની માનતા નથી. અજ્ઞાની તો શરીરાદિને જ આત્મા માનતો હોવાથી બાહ્યવિષયોને પોતાના ઉપકારી માને છે. એટલે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપની ભાવના તે ભાવતો નથી. જ્ઞાની નિરંતર દેહાદિથી ભિન્ન આત્માને ભાવે છે.
અજ્ઞાની તો જડ-ચેતનને એકબીજા સાથે ભેળવી દે છે; આત્માથી વિલક્ષણ એવી જે મૂર્ત-પુદ્ગલોની રચના (શરીર, વચન વગેરે) તેને તે આત્માના જ માને છે, પણ આત્મા તો પુદ્ગલથી ભિન્ન લક્ષણવાળો ચૈતન્યસ્વરૂપ છે-તેનો બોધ તે કરતો નથી; એટલે જડમાં જ આત્મપણાની ભ્રાંતિને લીધે તેને ભિન્ન આત્માની ભાવના હોતી નથી. જ્ઞાની વિલક્ષણદ્વારા જડ-ચેતનને ભિન્નભિન્ન જાણે છે, શરીર-વાણી વગેરે જડની ક્રિયા સ્વનેય તેને પોતાની ભાસતી નથી, ચૈતન્યસ્વરૂપ આત્મારૂપે જ તે પોતાને સમજે છે. ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈ પદાર્થોમાં નેય પોતાપણાની ભ્રાંતિ તેને થતી નથી. એટલે પર્યા-પર્યાયે ક્ષણે-ક્ષણે ને કાર્ય-કાર્યો તેને ભિન્ન આત્માની ભાવના વર્યા જ કરે છે. કાંઈ ગોખી-ગોખીને એ ભાવના થતી નથી પણ અંદર ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે ભેદજ્ઞાનના બળે સહજપણે ભિન્નપણાની ભાવના સદાય વર્યા જ કરે છે. આવા ભેદજ્ઞાનના અભ્યાસના બળે વૈરાગ્ય અને ચારિત્રદશા પ્રગટ કરીને તે જ્ઞાની અલ્પ કાળમાં દેહથી અત્યંત ભિન્ન એવી સિદ્ધદશાને સાથે છે. (૫૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com