________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૦પ બહાર નીકળવાના આળસુ છે...કેમકે આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય તેમને સુખ ભાસતું નથી.
આ જડ કાયાને કે તેની ક્રિયાને ધર્મી પોતાના ચિત્તમાં ધારણ કરતા નથી; તે તો જ્ઞાન-આનંદમય પોતાની ચૂત કાયાને જ ધારણ કરે છે. આ દેહ-મન-વાણી હું નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર નથી કે તેમનો અનુમોદનાર નથી, તેમનાથી સર્વથા ભિન્ન જ્ઞાન-આનંદસ્વરૂપ જ હું છું. પ્રવચનસાર કહે છે કે
હું દેવું નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહિ, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ. -આમ ધર્મી પોતાના આત્માની જ ભાવનામાં તત્પર છે. (૫૦)
અનાસક્ત-અંતરાત્મા પોતાની બુદ્ધિમાં આત્મજ્ઞાનને જ ધારે છે ને શરીરાદિકને નથી ધારતો એ કઈ રીતે ? તે કહે છે:
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः। अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम्।। ५१ ।।
ધર્માત્મા શરીરાદિકથી ભિન્ન પોતાના આત્માની એવી ભાવના ભાવે છે કે ઈદ્રિયો દ્વારા જે દેખાય છે તે હું નથી, મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ જ્ઞાનજ્યોતિ છે ને આનંદસહિત છે, પરમ પ્રસન્નતારૂપ જે પરમાર્થ સુખ તેનાથી સહિત છે; હું મારા આવા સ્વરૂપને અંતરમાં દેખું છું તેમાં મને પરમ સુખની અનુભૂતિ છે. માટે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી હુઠાવીને અતીન્દ્રિયજ્ઞાન વડે હું મારા આત્માને દેખું છું–અનુભવું છું ને તે સિવાય સમસ્ત બાહ્યવિષયો પ્રત્યે હું અનાસક્ત છું, તેમાં ક્યાંય મને મારાપણું કે સુખ ભાસતું નથી.
ઇન્દ્રિયો દ્વારા બહારમાં જે દેખાય છે તે કાંઈ આત્માનું સ્વરૂપ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com