________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨: આત્મભાવના નથી. સમકિતી ચક્રવર્તી હોય ને છખંડનું રાજ હોય, છતાં તેમાં ક્યાંય મારું સુખ છે એમ સ્વપ્નય વિશ્વાસ કરતા નથી; તે બધા સંયોગો તો મારાથી તદ્દન જુદા જ છે અને તે સંયોગો તરફની લાગણીથી પણ મને દુઃખ છે, તેમાં ક્યાંય મારું સુખ નથી, મારું સુખ તો મારા ચિદાનંદસ્વભાવમાં જ છે; આમ સ્વભાવનો વિશ્વાસ કરીને ધર્મી વારંવાર તેને જ સ્પર્શે છે, તેમાં ડૂબકી મારીને શાંતરસને વેદ છે. ચૈતન્યના વિશ્વાસે જ્ઞાનીનાં વહાણ ભવસાગરથી તરી જાય છે ને મોક્ષમાં પહોંચી જાય છે. (૪૯)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જ્ઞાનીની ચેતનાનું દેહાદિનાં કાર્યોથી ભિન્નપણું
જ્ઞાનીને પોતાના આત્માની જ પ્રીતિ ને આત્માનો જ વિશ્વાસ છે, સંયોગમાં તે સ્વપ્નય સુખ માનતા નથી, એમ ગાથા ૪૯માં કહ્યું, ત્યાં હવે પ્રશ્ન થાય છે કે જો એમ છે તો ભોજન વગેરે કાર્યોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ કેમ દેખાય છે? તેના ઉત્તરમાં પૂજ્યપાદસ્વામી કહે
आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेत्चिरम्। कुर्यादर्थवशात्किंचित्वाक्कायाभ्यामतत्परः ।। ५०।।
ધર્માત્મા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાળ સુધી ધારણ કરતા નથી; આત્મસ્વભાવની ભાવના છોડીને કોઈપણ કાર્યમાં તેઓ જોડાતા નથી, આત્માની ભાવના એક ક્ષણ પણ છૂટતી નથી. જ્ઞાનચેતના જેનું લક્ષણ છે તે જ ધર્મીનું કાર્ય છે, તેમાં જ તે તત્પર છે. અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીરવાણીની કંઈક ચેષ્ટામાં જોડાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com