________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૦૧ ક્યાંય સુખ દેખાતું જ નથી. જ્ઞાનીની નજર એક આત્મા ઉપર જ ઠરે છે, બીજે ક્યાંય જગતમાં તેની નજર ઠરતી નથી. રાગ ઉપર પણ તેની દષ્ટિ કરતી નથી. એક આતમરામમાં જ તેની નજર ઠરે છે. અહો ! મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે, તેના સિવાય જગતનું કોઈ તત્ત્વ મારા સુખનું ધામ નથી, તો તે પર દ્રવ્યોનો શો વિશ્વાસ ? ને તેમાં કેવી રતિ? મારો આત્મા જ મારું આનંદનું ધામ છે.-એમ જ્ઞાનીની શ્રદ્ધાનો વિષય પોતાનો આત્મા જ છે.
જ્ઞાની પોતાના આત્માનો વિશ્વાસ કરીને તેમાં પરિણામ જોડે
અજ્ઞાની બાહ્ય સંયોગનો વિશ્વાસ કરીને તેમાં પરિણામ જોડ
અજ્ઞાની બાહ્ય સંયોગોને સુખના દાતાર માનીને તે સંયોગમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગો તો સુખ કદી આપતા નથી, તેથી અજ્ઞાની છેતરાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે
અનંત સૌખ્ય, નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા!
અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા !
જ્ઞાની બાહ્યસંયોગોમાં સ્વપ્નય સુખ માનતા નથી, તે તો પોતાના સ્વભાવને જ સુખનો સાગર જાણીને તેનો વિશ્વાસ અને તેમાં એકાગ્રતા કરે છે, ને એ રીતે પોતાના અતીન્દ્રિયસુખને ભોગવે છે; તે છેતરાતા નથી.
માટે હે ભવ્ય! તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ વિશ્વાસ કર ને તેમાં જ રમણતા કર; બાહ્ય પદાર્થોમાં સુખની માન્યતા છોડ,-એમ શ્રી પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ છે. સમકિતીને પોતાનો આત્મા જ ઇષ્ટ છે, આત્મા જ વહાલો છે, આત્મા સિવાય બીજાં કાંઈ જગતમાં ઇષ્ટ કે સુખરૂપ લાગતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com