________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮: આત્મભાવના અજ્ઞાની બાહ્યવસ્તુને રમ્ય માનીને તેનો વિશ્વાસ કરે છે.
જ્ઞાની સ્વાત્માનો જ વિશ્વાસ કરીને તેમાં રમે છે.
અંતર્મુખ થઈને ધર્માત્માએ નિજસ્વરૂપમાં જ સુખ છે એમ અનુભવ્યું છે, તેથી તે તેનો જ વિશ્વાસ કરીને તેમાં રમે છે. નિજસ્વરૂપથી બાહ્ય કોઈપણ પદાર્થને તેઓ વિશ્વાસ્ય કે રમ્ય (સુખરૂપ) માનતા નથી. જેને સુખસ્વરૂપ આત્માનું ભાન નથી ને દેહને જ આત્મા માની રહ્યા છે એવા મૂઢજીવો જ પરપદાર્થમાં સુખની કલ્પના કરીને તેને રમ્ય માને છે અને તેનો વિશ્વાસ કરે છે. -એ વાત હવેની ગાથામાં કહે છે –
जगत्देहात्मदृष्टिनां विश्वास्यं रम्यमेव च। स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वासः क्व वा रति।। ४९।।
જ્યાંસુધી દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી જ જગતના પદાર્થો વિશ્વસનીય અને રમ્ય લાગે છે, એટલે કે બહિરાત્માને જ જગતના પદાર્થોમાં સુખ ભાસે છે; પરંતુ જ્યાં પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ થઈ ત્યાં બીજા શેમાં વિશ્વાસ હોય ? કે બીજે ક્યાં રતિ હોય ? અંતરાત્માને પોતાથી બાહ્ય જગતના કોઈપણ પદાર્થમાં સુખ ભાસતું નથી એટલે તેમાં વિશ્વાસ કે રતિ થતી નથી. ચૈતન્યસ્વરૂપનો જ વિશ્વાસ કરીને તેમાં જ તે રમે છે.
જુઓ, આ ધર્માત્માનું રમ્યસ્થાન! શાંતિનું લીલુંછમ સ્થાન છોડીને ધગધગતા વેરાન પ્રદેશમાં કોણ રમે?–તેમ બાહ્ય પદાર્થો તો આત્માના સુખને માટે વેરાનપ્રદેશ જેવા છે, તેમાં ક્યાંય સુખ કે શાંતિનો છાંટોય નથી, ઉલટું તે તરફની વૃત્તિથી તો ધગધગતા તાપની જેમ આકુળતા થાય છે; અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com