________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૯૯ ચૈતન્યપ્રદેશમાં રમતાં પરમ શાંતિ વેદાય છે. તો પછી આવા શાંત રમ્ય લીલાછમ ચૈતન્યપ્રદેશને છોડીને ઉજ્જડ વેરાન એવા પરદ્રવ્યમાં કોણ રમે?–તેને રમ્ય કોણ માને? ધર્મી તો ન જ માને. જેણે શાંતિધામ એવો રમ્ય આત્મપ્રદેશને જોયો નથી એવા મૂઢ જીવો જ પરદ્રવ્યમાં સુખ કલ્પીને તેને રમ્ય સમજે છે.
“જગતમાં જે પદાર્થો દુ:ખદાયક છે તે ભલે રમ્ય ન હો, પરંતુ જે સુખદાયક છે એવા સ્ત્રી-પુત્ર-લક્ષ્મી વગેરેને તો રમ્ય કહો?”—એમ કોઈ અજ્ઞાનીને પ્રશ્ન ઊઠે તો તેનું આ ગાથામાં સમાધાન કર્યું છે. અરે મૂઢ! બાહ્ય પદાર્થો તેને સુખરૂપ રમ્ય લાગે છે તે તારી બાહ્યદષ્ટિ અને દેહદૃષ્ટિને લીધે જ લાગે છે, ખરેખર પોતાના આત્મા સિવાય બીજું કોઈ સુખરૂપ કે રમ્ય નથી.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે, ને તેને આખું જગત વિશ્વાસયોગ્ય તથા રમ્ય લાગે છે. જ્ઞાની તો પોતાના આત્માને જગતથી જુદો જાણીને આત્માને જ વિશ્વાસયોગ્ય તથા રમ્ય જાણે છે. પોતાના ચૈતન્યતત્ત્વમાં જ જેની દષ્ટિ છે તેને બહારમાં કોનો વિશ્વાસ? ને કોનો પ્રેમ? બહારના કોઈ પદાર્થોમાં મારું સુખ છે એવો વિશ્વાસ જ્ઞાની કરતા નથી. અજ્ઞાની પરચીજને પોતાના સુખનું કારણ માનીને તેનો વિશ્વાસ અને પ્રીતિ કરે છે, પણ આત્મામાં સુખ છે તેનો વિશ્વાસ કે પ્રીતિ તે કરતો નથી. જ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિય સુખનું વદન થયું છે, એટલે તેનો જ વિશ્વાસ અને તેની જ પ્રીતિ છે. જગતમાં ક્યાંય પરમાં મારું સુખ છે જ નહિ એવું ભાન છે તેથી પરમાં ક્યાંય સુખબુદ્ધિથી આસકિત થતી નથી. આ રીતે આત્માની જ રતિ હોવાથી જ્ઞાની પોતાના આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિક કાળ ધારણ કરતા નથી–એ વાત હવેની ગાથામાં કહેશે.
વિશ્વાસયોગ્ય એટલે શ્રદ્ધા કરવા યોગ્ય, અને રમ્ય એટલે રમવા યોગ્ય -લીન થવા યોગ્ય; જ્ઞાની તો આત્મામાં જ સુખ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com