________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪: આત્મભાવના રાગાદિને છોડે છે. જેણે રાગથી પાર ચિદાનંદ સ્વભાવને જાણ્યો જ નથી તે રાગાદિને છોડશે કઈ રીતે ? અજ્ઞાનીને આત્માનું તો ભાન નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે બાહ્યસન્મુખ જ વર્તતો થકો રાગ-દ્વેષથી પરપદાર્થોને ગ્રહવા-છોડવાનું તે માને છે; તે ઊંધી માન્યતામાં તો તેને સ્વભાવનો ત્યાગ થઈ જાય છે ને રાગાદિ વિભાવનું ગ્રહણ થઈ જાય છે.-પરનું ગ્રહણ ત્યાગ તો તેને પણ થતું નથી.
આ ગાથામાં ત્રણ વાત બતાવી છે:
(૧) પરમાત્માને કાંઈ ગ્રહણ-ત્યાગ કરવાનું રહ્યું નથી; તેમજ આત્મામાં જે સ્થિર થાય છે એવા નિર્વિકલ્પ યોગીઓને કાંઈ ગ્રહણ-ત્યાગ કરવાનું રહ્યું નથી.
(૨) અંતરાત્માને પોતાના અંતભાવોમાં જ ગ્રહણ-ત્યાગ છે; પોતાના શુદ્ધભાવોને તે ગ્રહે છે ને પરભાવોને છોડે છે.
(૩) બહિરાત્મા બહારમાં ગ્રહણ ત્યાગ કરવાનું માને છે. તેનું વિવેચન
(૧) પરમાત્મા તેમ જ નિર્વિકલ્પ મુનિવરો તો ચિદાનંદતત્ત્વને સમસ્ત પરદ્રવ્યો ને પરભાવોથી ભિન્ન જાણીને, ચૈતન્ય
સ્વરૂપમાં જ સ્થિર થઈ ગયા છે, એટલે તેમણે ગ્રહવાયોગ્ય એવા પોતાના જ્ઞાન-આનંદને ગ્રહી લીધા છે ને છોડવાયોગ્ય પરભાવોને સર્વથા છોડી દીધા છે, તેથી તેઓ કૃતકૃત્ય છે, હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું તેમને બાકી રહ્યું નથી. આ રીતે પરમાત્મા અને નિર્વિકલ્પ મુનિવરો તો ગ્રહણ-ત્યાગથી રહિત છે.
(૨) અંતરાત્માએ પોતાના ચિદાનંદ સ્વરૂપને સમસ્ત પદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન જાણ્યું છે, પણ હજી તેમાં પૂરી લીનતા થઈ નથી ને રાગાદિ સર્વથા છૂટયા નથી, એટલે તે અંતરપ્રયત્નવડે શુદ્ધ જ્ઞાન-આનંદસ્વભાવને ગ્રહવા માંગે છે તથા રાગાદિ પરભાવને છોડવા માંગે છે. બાહ્યપદાર્થોથી તો પોતે જુદો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com