________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૯૩ જ્ઞાનાનંદસ્વરૂપને જ ઉપાદેય જાણ્યું છે ને પરભાવોને હેય જાણ્યા છે, તેથી ચૈતન્યસ્વભાવનું જ ગ્રહણ કરીને (–તેમાં લીનતા કરીને) પરભાવોને તે છોડતા જાય છે; અને તેમને સમાધિ થતી
જાય છે.
*અને મિથ્યાદષ્ટિ બહિરાત્મા તો બાહ્ય પદાર્થો સાથે પોતાને એકમેક માને છે, પરપદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ માને છે, એટલે તે કોઈ અનુકૂળ પરપદાર્થો ઉપર રાગ કરીને તેને ગ્રહવા માંગે છે, ને કોઈ પ્રતિકૂળ પ૨પદાર્થો ઉપર દ્વેષ કરીને તેને છોડવા માંગે છે. આ રીતે મિથ્યાદષ્ટિ જીવ રાગ-દ્વેષથી પરને ગ્રહવા-છોડવાનું માને છે. આ રીતે મિથ્યાઅભિપ્રાયને લીધે તેનો ત્યાગ પણ દ્રષગર્ભિત છે; તેને સમાધિ થતી નથી પણ અસમાધિ જ રહે છે.
ઘર કે જંગલ, મહેલ કે મસાણ, તે બધાય આત્માથી ભિન્ન પદ્રવ્ય છે; છતાં અજ્ઞાની બાહ્યદષ્ટિથી એમ માને છે કે ઘર છોડું અને જંગલમાં જાઉં–તો શાંતિ થાય; પણ અરે ભાઈ ! શાંતિ જંગલમાં છે કે આત્મામાં છે? મકાન તને અનિષ્ટ છે, કે તારો મોહ અનિષ્ટ છે? મોહને તો છોડતો નથી ને મકાનને અનિષ્ટ માનીને છોડવા માંગે છે, તે અભિપ્રાય જ જૂકો છે; ને મિથ્યાઅભિપ્રાય સહિતનો ત્યાગ તે તો વૈષથી ભરેલો છે. ચૈતન્યના વીતરાગભાવ વગર શાંતિનું વદન થાય નહીં.
ચૈતન્યગૂફામાં પ્રવેશીને શાંતિના વેદનમાં લીન થતાં બાહ્યપદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ-મોહની વૃત્તિ જ ન થાય તેનું નામ ત્યાગ છે; જ્યાં રાગ-દ્વેષ-મોહ છૂટયા ત્યાં તેના નિમિત્તો (વસ્ત્રાદિ) પણ સહેજે છૂટી જાય છે, તેથી તેનો ત્યાગ કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર બાહ્યપદાર્થોને ગ્રહવા-છોડવાનું જ્ઞાની માનતા નથી, તેને ગ્રહણ ને ત્યાગ તો અંતરમાં પોતાના ભાવનું જ છે. તે અંતરમાં સ્વભાવને ગ્રહીને (શ્રદ્ધા-જ્ઞાન-અનુભવમાં લઈને)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com