________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૮૯ વીતરાગી સમાધિ માટે ધર્મીજીવની ભાવના
વીતરાગી સમાધિ માટે ધર્મજીવ ભેદજ્ઞાનની દઢ ભાવના ભાવે છે કે
अचेतनमिदं दृश्यमदश्यं चेतनं ततः। क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्योऽहं भवास्यतः।। ४६ ।।
આ જે શરીરાદિ દશ્ય પદાર્થો છે તે તો અચેતન છે, તેને તો કાંઈ ખબર નથી કે કોણ અમારા ઉપર રાગ કરે છે કે કોણ દ્વેષ કરે છે? અને રાગ-દ્વેષાદિને જાણનાર જે ચેતનતત્ત્વ છે તે તો ઇન્દ્રિયોથી અગ્રાહ્ય-અદશ્ય છે; તો હું કોના ઉપર રાગ-દ્વેષ કરું! માટે બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈને હું મધ્યસ્થ થાઉં છું.-આમ ધર્મી વિચારે છે, ને પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે.
આ શરીર રૂપાળું, કે આ શરીર કાળું –એવી બુદ્ધિથી રાગ કે દ્વિષ કરું ત્યાં શરીર તો કાંઈ જાણતું નથી. આ શરીર જ હું નથી, શરીર તો અચેતન છે. અચેતન ઉપર રાગદ્વેષ કરવાથી શું? એટલે શરીર અને આત્માને ભિન્નભિન્ન દેખનાર જ્ઞાનીને રાગ-દ્વેષનો અભિપ્રાય રહેતો નથી. સુંદર સ્ત્રીને દેખે ત્યાં “આ સ્ત્રી સુંદર છે.” એમ માનીને અજ્ઞાની રાગ કરે છે. જ્ઞાની તો આત્મા અને શરીરને ભિન્નભિન્ન દેખે છે કે આ જે રૂપાળું શરીર દેખાય છે તે તો અચેતના પરમાણુનું ઢીંગલું છે, તેને તો ખબર પણ નથી કે કોણ તેના ઉપર પ્રીતિ કરે છે! અને અંદર સ્ત્રીના શરીરમાં જે આત્મા રહેલો છે તે તો મને આંખથી દેખાતો નથી, તો દેખ્યા વગર તેના ઉપર રાગ શું? માટે મારા રાગ-દ્વેષનો કોઈ વિષય નથી; હું તો જ્ઞાતા રહીને ઉદાસીન-મધ્યસ્થ થાઉં છું. પર પ્રત્યે મધ્યસ્થ રહીને અતીન્દ્રિય જ્ઞાન વડે હું મારા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com