________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૮: આત્મભાવના
સર્વથા તૂટી નથી, તેથી તેના સંસ્કાર ચાલુ છે. તેથી તેને તે અસ્થિરતારૂપી ભ્રાંતિ છે; અથવા કોઈ જીવને એક વાર ભેદજ્ઞાન થયા પછી પાછું અજ્ઞાન અને ભ્રાંતિ થઈ જાય છે તો તે જીવ વર્તમાનમાં ચૈતન્યભાવનાના સંસ્કાર ભૂલીને પૂર્વના વિભ્રમના સંસ્કાર ફરીને તાજા કરે છે તે કારણે તેને ભ્રાંતિ થાય છે-એમ સમજવું. આ રીતે ફરીને જે જીવ ભ્રાંતિ કરે છે તે જીવ બહિરાત્મા થઈ જાય છે. માટે અંતરાત્માને સાવધાન કરે છે કે હૈ અંતરાત્મા! દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જાણીને તેં જે અપૂર્વ દશા પ્રગટ કરી છે તેમાં ભેદજ્ઞાનની એવી દૃઢ ભાવના રાખજે કે પૂર્વની ભ્રાંતિના સંસ્કાર ફરીને જાગે નહીં.
અથવા, આ‘સમાધિ ’ના ઉપદેશનું શાસ્ત્ર હોવાથી સમાધિની અપેક્ષા લઈએ તો ભેદજ્ઞાન પછી પણ જેટલા રાગ-દ્વેષ થાય છે તેટલી અસમાધિ છે. ભેદજ્ઞાની-અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ ? તો કહે છે કે રાગદ્વેષના અનાદિના સંસ્કાર હજી ચાલ્યા આવે છે તેથી તે રાગ-દ્વેષ થાય છે. સ્ત્રી-પુત્ર-બંધુ વગેરેના વિયોગથી ધર્મીનેય શોક થઈ આવે, રુદન પણ આવી જાય; તેમ જ બંધુ-લક્ષ્મી–સ્ત્રી વગેરેના સંયોગથી ધર્મીને પણ હર્ષપરિણામ થઈ આવે; જેમ કે હજી પૂરી વીતરાગી સમાધિ થઈ નથી ત્યાં, ભેદજ્ઞાન હોવા છતાં એવાં હર્ષ-શોકનાં પરિણામ વર્તે છે, એટલે જ્ઞાનચેતના સાથે તેને તેટલી કર્મચેતના પણ છે. તેને શ્રદ્ધા-જ્ઞાનમાં ભ્રાંતિ નથી પરંતુ અસ્થિરતા અપેક્ષાએ ભ્રાંતિ કહેવાય. જેને શ્રદ્ધાજ્ઞાનમાં પણ ભ્રાંતિ થઈ જાય તે તો બહિરાત્મા છે. ભેદજ્ઞાનની ભૂમિકામાં પણ જેટલા રાગ-દ્વેષ થાય તેટલી અસમાધિ છે, તે રાગ-દ્વેષ ટાળીને વીતરાગપણે સ્વરૂપમાં ઠરે ત્યારે જ પૂર્ણ સમાધિ અને શાંતિ થાય છે. આવી સમાધિ પ્રાપ્ત કરવા માટે ધર્મીજીવ કેવા ચિંતન વડે તે રાગ-દ્વેષ ટાળીને મધ્યસ્થ થાય છે-તે હવે કહેશે. (૪૫)
*****
Please inform us of any errors on rajesh@AtmaDharma.com