________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
આત્મભાવનાઃ ૧૮૭
ભેદજ્ઞાનની ભાવના દઢ રાખજે
ભેદજ્ઞાની અંતરાત્માને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ હું” એવી આત્મબુદ્ધિ છે, એ સિવાય બાહ્યમાં દશ્યમાન એવા દેહાદિ કોઈપણ પદાર્થોમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, એમ ૪૪
આ
ગાથામાં કહ્યું.
ધર્માત્માએ દેહથી ભિન્ન શબ્દથી પાર અને વિકલ્પથી પણ અગોચર એવા આત્મતત્ત્વને સ્વસંવેદનથી જાણ્યું છે, અને તેની ભાવના પણ કરે છે છતાં હજી અસ્થિરતાને લીધે તેને રાગ-દ્વેષ પણ થતા દેખાય છે, તેથી જિજ્ઞાસુ શિષ્યને સમજવા માટે પ્રશ્ન ઊઠે છે કે હે સ્વામી! દેહથી ભિન્ન આત્માને જાણ્યો હોવા છતાં અને તેને ભાવતા હોવા છતાં ધર્માત્માને પણ ફરી ફરીને આ રાગ-દ્વેષ કેમ થાય છે?-રાગ-દ્વેષ રહિત સમાધિ તરત કેમ થતી નથી ? દેહાદિથી જાદાપણું જાણ્યા છતાં તેમાં રાગ-દ્વેષ કેમ થાય છે? (એક તો આ અપેક્ષાનો પ્રશ્ન છે.) બીજી અપેક્ષા એમ પણ છે કે આત્મા દેહથી ભિન્ન છે–એમ જાણ્યાં છતાં અને તેની ભાવના કરવા છતાં જીવને ફરીને પણ ભ્રાંતિ કેમ થાય છે? એટલે કે ફરીને પણ તે અજ્ઞાની કેમ થઈ જાય છે?–એના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે:
जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि ।
पूर्व विभ्रमसंस्काराद् भ्रांति भूयोऽपि गच्छति ।। ४५ ।।
દેહથી ભિન્ન આત્મતત્ત્વને જાણવા છતાં, અને ભાવવા છતાં ફરીને પણ જે ભ્રાંતિ થઈ જાય છે અથવા રાગ-દ્વેષ થાય છે તે પૂર્વના વિભ્રમના સંસ્કારને લીધે છે. દેહથી ભિન્નતા જાણ્યા પછી રાગ-દ્વેષ રહિત સમાધિ થવાને બદલે હજી પણ રાગ-દ્વેષ થાય છે તેનું કારણ અનાદિથી ચાલી આવતી રાગ-દ્વેષની પરંપરા હજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com