________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨: આત્મભાવના જ જે આત્મબુદ્ધિ કરે છે તે તો અજીવથી-આસ્રવથી ને બંધનથી ચૂત થઈને મુક્તિ પામે છે; અને હેયરૂપ પરતત્ત્વમાં (દેહાદિમાંરાગાદિમાં) જે આત્મબુદ્ધિ કરે છે તે નિજસ્વરૂપથી સ્થૂત થઈને સંસારમાં રખડે છે. આ રીતે બંધ-મોક્ષના કારણને ઓળખીને બંધનાં કારણને છોડવું, ને મોક્ષનું કારણ સેવવું.
બહિરાત્માની દૃષ્ટિ જ બહારમાં છે; બાહ્ય પદાર્થો ઉપેક્ષા યોગ્ય (હેય) હોવા છતાં તેમાં તે ઉપાદેયબુદ્ધિ કરે છે, પણ અંતરના જ્ઞાનાનંદસ્વરૂપને ઉપાદેય કરતો નથી–તે તરફ વળતો નથી; આ રીતે હિતકારી સ્વતત્ત્વને તો હેય કરે છે, ને હુંય એવા પરતત્ત્વોને ઉપાય કરે છે, તેથી તે જીવ રાગ-દ્વેષ-મોથી બંધાય જ છે; તે અસમાધિપણે જ વર્તે છે ને અહિત જ પામે છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ સિવાય બીજા કોઈને ઉપાદેય માનતા નથી, એક શુદ્ધ સ્વતત્ત્વને જ ઉપાદેય માનીને તેને ઉપાસે છે–તેના શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર કરે છે, તેથી તે કર્મબંધનથી છૂટીને મુક્તિ પામે છે, પરમ સમાધિ પામે છે.
સમતા રમતા ઊર્ધ્વતા શાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા યે સબ જીવ વિલાસ.
અને તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ
ગુરુતા લઘુતા ગમનતા એ અજીવકે ખેલ. જ્ઞાનીજાણે છે કે તન-મન-વચન વગેરે તો જડ અજીવના ખેલ છે, તે કોઈ મારા કાર્ય નથી, તેની સાથે મારે સંબંધ નથી. હું તો તન-મન-વચન રહિત, જ્ઞાન-દર્શન-સુખનો પિંડ છું; મારો વિલાસ તો ચૈતન્યરૂપ છે. ચૈતન્યવિલાસ જ મારું સ્વતત્ત્વ છે ને દેહાદિક જડનો વિલાસ તે પરતત્ત્વ છે. આમ સ્વ-પરતત્ત્વોને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાની પોતાના સ્વતત્ત્વને જ ઉપાદેય કરીને તેમાં એકાગ્ર થાય છે, ને પરતત્ત્વોને હેય જાણીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com