________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૭૯ રુચિ નથી. રાગનું ફળ અતીન્દ્રિય આનંદ નથી પણ ઇન્દ્રિયવિષયો જ છે, તેથી જેને રાગની રુચિ છે તેને અતીન્દ્રિયઆત્માની રુચિ નથી.
ભગવાને કહેલાં વ્યવહાર વ્રત-તપ પાળતો હોવા છતાં અજ્ઞાનીને કેમ મુક્તિ થતી નથી ?–તેનો ખુલાસો કરતાં આચાર્યદેવ કહે છે કે તે અજ્ઞાની જીવ રાગની ને રાગના ફળરૂપ ભોગની જ રુચિથી વ્રતાદિ કરે છે, તેથી તે મોક્ષને પામતો નથી; તેને રાગથી પાર ને ઈન્દ્રિયવિષયોથી પાર ચિદાનંદ સ્વભાવની રુચિ-પ્રતીતિ-શ્રદ્ધા નથી; તેના વેદનમાં તે રાગને જ વેદે છે. રાગરહિત આત્મસ્વભાવને તે વેદતો નથી, તેથી તેને કર્મક્ષય થતો નથી.
જ્ઞાની તો ચૈતન્યસ્વભાવની ભાવનાથી રાગમાંથી છૂટવા માંગે છે, ને દેહાદિ વિષયોથી પણ છૂટવા ચાહે છે. ચૈતન્યના આનંદનું વેદન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ રાગ અને વિષયો છૂટતા જાય છે. જેને રાગમાં ને દેહમાં આત્મબુદ્ધિ હોય તેને રાગ કે દેથી છૂટવાની ખરી ભાવના ક્યાંથી હોય? ચૈતન્યના અતીન્દ્રિયઆનંદની અસ્તિ વિના ઇન્દ્રિયવિષયોની નાસ્તિ ક્યાંથી થાય?
કષાયની મંદતા કરીને, શુભરાગથી કંઈક વ્રત-તપ કરે, તે રાગની મીઠાશથી મૂઢ અજ્ઞાનીને એમ થઈ જાય છે કે મેં ઘણું કર્યું... પંચમહાવ્રત પાળે ત્યાં અજ્ઞાનીને એમ થઈ જાય છે કે મેં ઘણો મોક્ષમાર્ગ સેવ્યો. હું ધર્મમાં ઘણો આગળ વધી ગયો. પણ તે ખરેખર મોક્ષમાર્ગમાં આવ્યો જ નથી, સંસારમાર્ગમાં જ ઊભો છે. અને કોઈ જ્ઞાની–ધર્માત્મા ગૃહસ્થપણામાં હોય, તેને અંતરમાં વિષયોથી ને રાગથી પાર ચૈતન્યતત્ત્વના આનંદનું વદન થઈ ગયું છે; તેને વ્રતતપ ન હોવા છતાં અંતરમાં અપૂર્વદષ્ટિના બળે અનંત સંસાર કાપી નાંખ્યો છે, ને મોક્ષના આરાધક થઈ ગયા છે. ત્યાં અજ્ઞાની તેની અપૂર્વ અંતષ્ટિના અચિંત્ય મહિમાને તો ઓળખતો નથી અને મૂઢતાથી એમ માને છે કે આને તો કાંઈ વ્રત-તપ નથી ને અમે તો વ્રત-તપ પાળીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com