________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮: આત્મભાવના વિષયને ન જાણ્યો તેને બાહ્યવિષયોમાં આત્મબુદ્ધિ થઈ; આ દેહ તે જ આત્મા છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે–એવી મિથ્યાબુદ્ધિ થઈ તે જીવ ઉત્તમ શરીરને અને સ્વર્ગ વગેરે વિષયભોગોને જ વાંછે છે. ખરેખર ઉત્તમ એવા ચૈતન્ય આત્માને ન જાણ્યો એટલે બહારમાં ઉત્તમ જડ શરીરને પોતાનું માનીને વાંછે છે. સીધી રીતે જે વિષયભોગોની ઈચ્છા કરે તેને તો પાપ છે, તેને કાંઈ ઉત્તમ સ્વર્ગ મળતું નથી. અજ્ઞાની દ્રવ્યલિંગી થઈને વ્રત-તપ કરે છે તેને સીધી રીતે તો વિષયોની અભિલાષા નથી, પણ તેના અભિપ્રાયમાં ચૈતન્ય તરફનો ઝુકાવ નથી ને રાગ તરફનો જ ઝુકાવ છે, રાગની જ ભાવના છે તેથી તે રાગના ફળરૂપ વિષયોની પણ ભાવના તેના અભિપ્રાયમાં પડી જ છે. રાગની ભાવનારૂપ મિથ્યાત્વમાં અનંતા વિષયભોગોનું મૂળિયું ઊભું છે; માટે અજ્ઞાની જે વ્રતાદિ કરે છે તે ભોગહેતુ જ છે-એમ કહ્યું છે તે યથાર્થ છે.
જ્ઞાની તો અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વની જ ભાવના કરે છે. શુભઅશુભ હોય ભલે પણ તેને તેની ભાવના નથી. એ જ્યાં રાગની ભાવના નથી ત્યાં રાગના ફળરૂપ વિષયોની ભાવના કેમ હોય? વીતરાગી ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર રાગની ભાવના ટળે નહિ. ને
જ્યાં રાગની ભાવના ટળી નથી ત્યાં રાગના ફળરૂપ વિષયોની ભાવના પણ ટળી નથી.
મારો આત્મા જ જ્ઞાનને આનંદસ્વરૂપ છે, બાહ્ય વિષયો વગર જ મારા આત્મામાં આનંદ છે-એમ અતીન્દ્રિય આત્માનો સ્પર્શ-રુચિઅનુભવ જેને નથી તે જીવને ઇન્દ્રિયવિષયોનો જ સ્પર્શ-રુચિઅનુભવ છે. જુઓ, આ અંતરના વેદન ઉપરથી જ્ઞાની-અજ્ઞાનીનું માપ કાઢયું છે. જેને અતીન્દ્રિય આનંદનું વેદન નથી તેને ઇન્દ્રિયવિષયોનું જ વેદન છે. જેને અતિન્દ્રિયઆનંદનું વેદન છે તેને જ ઇન્દ્રિયવિષયોની રુચિ છૂટી છે. એક તરફ અતિન્દ્રિય આત્માનો વિષય અને બીજી તરફ ઇન્દ્રિયવિષયો,-તે બન્નેની રુચિ એક સાથે ન હોઈ શકે. જેને એકની રુચિ છે તેને બીજાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com