________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬: આત્મભાવના
આત્મજ્ઞાન વગર એકલા શુભરાગથી પંચમહાવ્રત પાળીને ઠેઠ નવમી રૈવેયક સુધી દેવલોકમાં ગયો, તોપણ ત્યાં જરાય સુખ ન પામ્યો, માત્ર દુઃખ જ પામ્યો. અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે, ને મોક્ષને માટે નિષ્ફળ છે; ને જ્ઞાનીની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે ને મોક્ષને માટે સફળ છે. જેને અંતરમાં સ્વસમ્મુખ પ્રયત્ન નથી તે પરસમ્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ અને સંસાર જ છે. આત્મસ્વભાવમાં સ્વસમ્મુખ પ્રયત્નથી જ સુખ અને મુક્તિ થાય છે; માટે આત્મજ્ઞાનના ઉધમનો ઉપદેશ છે. (૪૧).
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
દેહબુદ્ધિવાળો જીવ દેહાદિને જ ઈચ્છે છે; તત્ત્વજ્ઞાની દેહથી ભિન્ન આત્માને ભાવે છે.
*
* * *
* *
* *
* * *
*
* * *
* * *
* *
* *
બહિરાત્મા શું ઈચ્છે છે ને ધર્માત્મા શું ઈચ્છે છે? તે હવે કહે છેशुभं शरीरं दिव्यांश्च विषयानभिवांछति। उत्पन्नात्ममतिर्दैहे तत्त्वज्ञानी ततश्च्युतिम्।।४२।।
અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે શુભ શરીરને અને સ્વર્ગના વિષયભોગોને જ વાંછે છે, ને જ્ઞાની તો શરીરથી ને વિષયોથી છૂટવા ચાહે છે, બાહ્ય વિષયોથી છૂટીને અંતરના ચૈતન્યસ્વભાવમાં જ કરવા માગે છે.
જેને શુભરાગની ભાવના છે તેને તે રાગના ફળરૂપ સ્વર્ગના ભોગની ને શરીરની જ અભિલાષા છે, જેને પુણ્યની રુચિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com