________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪: આત્મભાવના છે, એટલે તેના અભિપ્રાયમાં રાગની ને રાગના ફળરૂપ ઇન્દ્રિયવિષયોની ભાવના પડી જ છે. આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ વગર વિષયોની ભાવના ખરેખર તૂટે જ નહિ.
જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન કરે છે તેઓ જ દુઃખથી છૂટે છે. જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન નથી કરતાં તેઓ દુઃખથી છૂટતા નથી.
જુઓ, આ પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર “સર્વાર્થસિદ્ધિ' નામની મહાન ટીકા રચી છે; તેઓ કહે છે કે આત્માનો વિભ્રમ તે જ દુઃખનું કારણ છે; કર્મના કારણે દુઃખ છે એમ ન કહ્યું, પણ આત્મજ્ઞાનનો પ્રયત્ન પોતે નથી કરતો તેથી જ દુઃખ છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ –પોતાની ભૂલથી જ આત્મા દુઃખી થાય છે, કર્મ બિચારું શું કરે? પોતે જ આત્મજ્ઞાનનો યત્ન નથી કરતો તેથી દુઃખી છે, છતાં અજ્ઞાની કર્મનો વાંક જ કાઢે છે કે કર્મ દુઃખ આપે છે,-પોતાનો વાંક બીજા ઉપર ઢોળે છે–તે અનીતિ છે, તે જૈનનીતિને જાણતો નથી. જો જિનધર્મ જાણે તો આવી અનીતિ સંભવે નહીં. મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે, “તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ જીવનો જ દોષ છે...જીવ પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે, પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ” એટલે કે જે પોતાનો દોષ કર્મ ઉપર ઢોળે છે તે જીવ જિનાજ્ઞાથી બહાર છે.
આત્મસ્વરૂપના જ્ઞાન વગર તેમાં એકાગ્રતારૂપ તપ હોય જ નહિ, આત્મજ્ઞાન વગર હુઠથી વ્રત-તપ કરવા માગે તેમાં એકલું કષ્ટ છે, ભલે શુભરાગથી કરે તો પણ તેમાં કેવળ કષ્ટ છે, આત્માની શાંતિ તેમાં જરા પણ નથી. દુઃખનું કારણ તો આત્મવિભ્રમ છે, તે ભ્રમણા ટાળ્યા વગર દુ:ખ ટળે જ નહિ. આનંદનું વેદન તે જ દુઃખના અભાવની રીત છે. જે તપમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com