________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૭૩ આત્મજ્ઞાન વડે જ દુઃખનું શમન
ને નિર્વાણની પ્રાપ્તિ
ચૈતન્યસ્વભાવની મહત્તા અને બાહ્ય ઈન્દ્રિયવિષયોની તુચ્છતા જાણીને, પોતાના ઉપયોગને વારંવાર ચૈતન્યભાવનામાં જોડવો; એમ કરવાથી પર પ્રત્યેનો પ્રેમ નાશ થાય છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે,-એમ પૂર્વ ગાથામાં કહ્યું. એ જ વાતને દઢ કરતાં હવે કહે છે કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્માની ભાવનાથી જ નાશ થાય છે; જેઓ આત્મજ્ઞાનનો ઉદ્યમ નથી કરતા તેઓ ઘોર તપ કરે તો પણ નિર્વાણ પામતા નથી.
आत्मविभ्रमजं दुखमात्मज्ञानात्प्रशाम्यति। नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः।। ४१।।
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેને ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે વિભ્રમ છે તે જ દુઃખનું મૂળ છે. તે આત્મવિભ્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે જ દૂર થાય છે. “દેહાદિકથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથી–એવા આત્મજ્ઞાન વગર દુ:ખ મટવાનો બીજો કોઈ ઉપાય નથી. આવા આત્મજ્ઞાન વગર ઘોરતપ કરે તોપણ જીવ નિર્વાણપદને પામતો નથી.
જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન કરતા નથી ને વ્રતતાનો જ ઉધમ કરે છે તેઓ માત્ર કલેશ જ પામે છે, નિર્વાણને પામતા નથી. તેને જે વ્રત-તપ છે તે આત્માની ભાવનાથી નથી પણ રાગની અને વિષયોની જ ભાવનાથી છે. ભલે સીધી રીતે વિષયોની ઈચ્છારૂપ પાપભાવના તો ન હોય, પરંતુ અંતરમાં વિષયાતીત ચૈતન્યનું વેદન નથી કરતો તે રાગના જ વેદનમાં અટકયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com