________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭: આત્મભાવના થાય. પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય, કે રાગથી લાભ માનતો હોય તેનો ઉપયોગ તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્યાંથી ? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને કેમ ખસેડે?-ન જ ખસેડ. માટે ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્ર કરવા ઈચ્છનારે પ્રથમ તો પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય વિષયોમાં કે તે તરફના રાગમાં ક્યાંય સ્વનેય મારું સુખ કે શાંતિ નથી, અનંતકાળ બહારના ભાવો કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્યું. જગતમાં ક્યાંય પણ મારું સુખ હોય તો તે મારા નિજસ્વરૂપમાં જ છે, બીજે ક્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને, મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું.આવા દઢ નિર્ણયપૂર્વક ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંતરસ્વરૂપમાં જોડે છે.
આ રીતે ઉપયોગને અંતસ્વરૂપમાં જોડવો તે જ જિનઆજ્ઞા છે, તે જ આરાધના છે, તે જ સમાધિ છે, તે જ સુખ છે ને તે જ મોક્ષનો પંથ છે.(૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com