________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨: આત્મભાવના જ્ઞાનીને સ્વભાવની ભાવના છૂટીને તે વૃત્તિ થઈ નથી. મુનિવરોને તો ધ્યાનમાં માન-અપમાનની વૃત્તિ જ નથી ઊઠતી, એટલું વીતરાગી ચારિત્ર થઈ ગયું છે. સમકિતી ગૃહસ્થને એટલું વીતરાગી ચારિત્ર થયું નથી પણ પરસંયોગની અસર વિનાના પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપની દષ્ટિ થઈ છે, અજ્ઞાનના સંસ્કાર છૂટી ગયા છે, જ્ઞાનસ્વભાવની જ મહત્તા કરી છે, એટલે તેને જ્ઞાનસ્વભાવની મહત્તા પાસે બીજા પદાર્થોની જરાય મહત્તા ભાસતી નથી, તેથી બીજા પદાર્થોવડે તેને પોતાનું માન ભાસતું નથી. તેમજ નિંદા વગેરે પ્રતિકૂળ પ્રસંગથી તેને પોતાનું અપમાન ભાસતું નથી. કોઈ નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે, તે બન્ને વખતે હું તો તેનાથી જાદો જ્ઞાનસ્વરૂપ છું, નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં આવતા નથી, નિંદા કરનાર તેના પોતાના દ્વેષભાવને કરે છે, પ્રશંસા કરનાર તેના પોતાના રાગભાવને કરે છે, પણ મારા જ્ઞાનસ્વભાવમાં તે કાંઈ કરતા નથી. –આવા ભાનમાં ધર્મીને માન-અપમાનની બુદ્ધિ છૂટી ગઈ છે. જરાક રાગ-દ્વેષની વૃત્તિ થઈ જાય તે પોતાના અસ્થિરભાવને લીધે છે, સંયોગને લીધે નથી-એમ તે જાણે છે, ને જ્ઞાનભાવનામાં સ્થિર થઈને તે રાગ-દ્વેષની વૃત્તિને તોડી નાખે છે.
અજ્ઞાનીને જ્ઞાનસ્વભાવની ભાવના નથી, સંયોગની જ ભાવના છે, સંયોગથી પોતાની હીનતા-અધિકતા માને છે, અનુકૂળ સંયોગથી પોતાનું માન માને છે ને પ્રતિકૂળ સંયોગથી પોતાનું અપમાન માને છે, એટલે તેને સંયોગો પ્રત્યે રાગદ્વેષ થયા જ કરે છેઃ તેને અવિદ્યાના સંસ્કારને લીધે સર્વત્ર પોતાનું માન-અપમાન જ ભાસ્યા કરે છે. પણ હું તો સંયોગથી ભિન્ન જ્ઞાયકસ્વભાવ છું, મારા જ્ઞાનને જગતમાં કોઈ પ્રતિકૂળ કે અનુકૂળ નથી, બધાય મારા જ્ઞય જ છે,-આવી સ્વભાવભાવનાવડે જ માન-અપમાનની વૃત્તિ ટળીને સમાધિ-શાંતિ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com