________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૬૧ જેનું ચિત્ત રાગ-દ્વેષ-મોહરૂપી વિભાવોથી દૂર થઈને પોતાના જ્ઞાનસ્વરૂપમાં ઠર્યું છે તેને એ પ્રકારની માન-અપમાનની કલ્પનાઓ સતાવતી નથી. ચૈતન્યના આનંદમાં લીન થતાં, કોણ મારી સ્તુતિ કરે છે કે કોણ મારી નિંદા કરે છે એનો વિકલ્પ જ ઊઠતો નથી, સર્વત્ર સમભાવ જ વર્તે છે. -
શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શીતા, માન-અમાને વર્તે તે જ સ્વભાવ જોઃ જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.” જુઓ, આ સંતોની સમાધિદશા–પણ આવી વીતરાગી સમાધિ કઈ રીતે થાય? કે જ્ઞાનસ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાના દઢ સંસ્કારથી આવી વીતરાગી સમાધિ થાય છે.
મારા જ્ઞાનસ્વભાવ સિવાય બીજું કાંઈ મારું નથી, ઇન્દ્રિયોનો મને આધાર નથી, રાગનું મને શરણ નથી,-આવી ભાવનાવાળા જ્ઞાનીને પરદ્રવ્યથી પોતાનું માન-અપમાન લાગતું નથી. મારી મહત્તા તો મારા જ્ઞાનસ્વભાવથી જ છે, મારા સ્વભાવની મહત્તાને તોડવા જગતમાં કોઈ સમર્થ નથી.
–આમ પોતાના સ્વભાવની મહત્તા જેને નથી ભાસતી ને પરસંયોગ વડે જેણે પોતાની મહત્તા માની છે એવા અજ્ઞાનીને માનઅપમાન લાગ્યા વગર રહેતું નથી. કોઈ અપમાન કરે-નિંદા કરે-દ્વેષ કરે ત્યાં જાણે મારો સ્વભાવ જ હણાઈ ગયો-એમ અજ્ઞાનીને અપમાન લાગે છે, અને બહારમાં જ્યાં અનુકૂળતા ને માન મળે ત્યાં જાણે કે મારો સ્વભાવ વધી ગયો-એમ મૂઢ જીવ માને છે. આવી માન-અપમાનની વૃત્તિ અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને આવા પ્રકારની માન-અપમાનની વૃત્તિ થતી નથી, કેમકે પસંયોગવડે પોતાના આત્માની મહત્તા કે હીનતા તે માનતા નથી. અસ્થિરતાને લીધે જરાક માન-અપમાનની વૃત્તિ થાય ત્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com