________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૫૯ નથી, પણ વર્તમાનમાં પોતાના અપરાધને લીધે પોતે તે સંસ્કાર ચાલુ રાખ્યા છે તેથી હુજી રાગદ્વેષ થાય છે. આ રાગદ્વેષનો કઈ રીતે નાશ થાય? કે પોતાના જ્ઞાનતત્ત્વના દઢ સંસ્કારવડે સ્વરૂપમાં સ્થિર થતાં રાગદ્વેષનો નાશ થઈ જાય છે. સામસામા બે સંસ્કાર લીધા-એક અવિદ્યાના સંસ્કાર, ને બીજા જ્ઞાનસંસ્કાર જ્ઞાનના ઉગ્ર સંસ્કાર એટલે વારંવાર તીવ્ર રસથી તેનો પરિચય, તે જ અજ્ઞાનના સંસ્કારના નાશનો ઉપાય છે. જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા થતી જાય છે તેમ તેમ રાગદ્વેષના સંસ્કાર છૂટતા જાય છે ને વીતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી જ્ઞાન પોતામાં લીન થઈને વીતરાગતા ન થાય ત્યાં સુધી અતિ દઢતાપૂર્વક જ્ઞાનતત્ત્વની ભાવના કર્યા જ કરવી.
સમયસારમાં કહે છે કે'भावयेत्भेदविज्ञानमिदमच्छिन्नधारया ।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।' આ ભેદવિજ્ઞાન અચ્છિન્નધારાથી–અખંડપ્રવાહરૂપે વિચ્છેદ પડયા વગર ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
એ રીતે જ્ઞાનમાં સ્થિરતાના અભ્યાસવડે એવી વીતરાગી સમાધિ થાય છે કે માન-અપમાનના પ્રસંગમાં પણ તેના ચિત્તમાં કોઈ વિક્ષેપ થતો નથી—એમ હવેની ગાથામાં કહેશે. (૩૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com