________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮: આત્મભાવના સ્વરૂપમાં એકાગ્રતા થાય છે. તે જ સમાધિનો ઉપાય છે.
જ્ઞાનસ્વભાવની જેને ભાવના નથી ને બાહ્ય વિષયોમાં (શુભમાં કે અશુભમાં) જ જેનું ચિત્ત વર્તે છે તેનું ચિત્ત કદી અવિક્ષિપ્ત (સ્થિર) થાય નહીં. જ્ઞાનસ્વભાવની ભાવના વગર કોઈ રીતે શાંતિ થાય નહિ. જ્યાં બહારથી લાભ-નુકશાન થવાની માન્યતા છે ત્યાં રાગદ્વેષ વર્યા જ કરે છે. એક તરફ જ્ઞાયકસ્વરૂપ પવિત્ર આત્મા છે...ને બીજી તરફ સમસ્ત બાહ્યવિષયો છે.....જે જીવ અંતરમાં વળીને વારંવાર આત્માની ભાવના કરે છે તેને રાગદ્વેષ રહિત ઉપશાંતભાવરૂપ સમાધિ થાય છે, અને જે જીવ બાહ્યવિષયોની ભાવના ભાવે છે તેને રાગદ્વેષરૂપ વિક્ષેપથી અસમાધિ જ વર્તે છે. માટે જ્ઞાનસંસ્કાર એટલે કે શુદ્ધ આત્માની ભાવના તે જ સમાધિનું કારણ છે. અને બાહ્યવિષયોની ભાવનારૂપ અવિધાના સંસ્કાર તે અસમાધિનું કારણ છે.
પહેલાં અંતર્મુખ થઈને, દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધાવડ સમ્યગ્દર્શન કરવું તે અપૂર્વ વિદ્યા છે, ને તે પણ સમાધિ છે. તેને ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું સંવેદન થાય છે; આનંદનું વેદન તે જ અવિક્ષિત મન છે. આત્માના આનંદના વેદન વગર મનમાંથી વિક્ષેપ મટે નહિ ને સમાધિ થાય નહિ. ચૈતન્ય તરફ ઝૂકીને જેમ જેમ તેના આનંદનું વેતન વધતું જાય છે તેમ તેમ મનમાંથી રાગ-દ્વેષરૂપ વિક્ષેપ છૂટતા જાય છે ને વીતરાગી શાંતિસમાધિ થતી જાય છે.
સમ્યજ્ઞાન પછી પણ જેટલા રાગદ્વેષ છે તેટલો ચૈતન્યની સ્થિરતામાં વિક્ષેપ પડે છે. જીવને અનાદિથી અજ્ઞાનદશામાં રાગદ્વેષ કરવાની ટેવ પડી ગઈ છે. તે રાગદ્વેષના સંસ્કારને લીધે મન ચૈતન્યમાં ઠરતું નથી, રાગદ્વેષનું મૂળ અજ્ઞાન, તે તો ટળી ગયું છતાં તેના અભ્યાસના સંસ્કારને લીધે હજી રાગ-દ્વેષ સર્વથા ટળ્યા નથી. કંઈ પૂર્વના કારણે વર્તમાન રાગદ્વેષ થાય છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com