________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦: આત્મભાવના
જાદો જાણ્યો, દેહનું મમત્વ જ છુટી ગયું ને ચૈતન્યમાં લીનતા થઈ ત્યાં ધર્મીને આનંદની જ અત્રુટધારા વહે છે, તેમાં તેને ખેદ કે દુ:ખ થતું નથી. ભેદજ્ઞાનપૂર્વકની તપસ્યા તે મોક્ષનું કારણ છે.
આત્મા અને શરીરનું ભેદજ્ઞાન કરીને જ્યાં આત્મામાં એકાગ્ર થયો ત્યાં સમસ્ત બાહ્યવિષયોની ચિંતા છૂટી જાય છે ને પોતાના પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. બહારના ગમે તેવા સંયોગમાં પણ તેનો આનંદ અબાધિત રહે છેઃ બાહ્યસંયોગની પ્રતિકૂળતાથી કે વ્રત-તપથી તેને ખેદ થતો નથી. (૩૪)
Please inform us of any errors on rajesh @AtmaDharma.com