________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના ૧૪૯ ગમે તેવી ઘોર પ્રતિકૂળતા આવી પડે તોપણ આત્માના આનંદથી આનંદિત સંતોને જરાય દુ:ખ કે ખેદ થતો નથી. દેહને અને સંયોગોને પોતાથી ભિન્ન જાણીને જેઓ આત્મામાં જ લીન થયા છે તેમને દુ:ખ કેવું? ગમે તેવા બાહ્ય સંયોગો આવી પડો પણ
જ્યાં બાહ્યવિષયો સંબંધી ચિંતા જ નથી ત્યાં દુઃખ કેવું? ચૈતન્યનો સ્વભાવ જ આનંદ છે.-માનંઃ વ્રમો રૂપે તેના ચિંતનમાં દુ:ખ કેમ હોય ? અહો ! જ્ઞાનીને તો આત્મસ્વરૂપમાં અપૂર્વ આનંદનો અનુભવ છે, પણ સંયોગદષ્ટિવાળા મૂઢ અજ્ઞાની જીવને જ્ઞાનીના અંતરની ખબર નથી, પ્રતિકૂળ સંયોગોથી જ્ઞાનીને દુ:ખ થતું હશે-એમ તે મૂઢતાથી માને છે, સિંહ આવીને ધ્યાનસ્થ મુનિના શરીરને ફાડી ખાતો હોય ત્યાં જેને એમ લાગે કે અરેરે ! મુનિને મહાદુઃખ થતું હશે.”—તો તે જીવ મોટો મૂઢ છે. અરે મૂઢ! સંતો તો અંતરમાં ચૈતન્યસ્વરૂપની લીનતાથી મહાસુખી છે, મહાઆનંદી છે, શરીરને સિંહ ફાડી ખાય તેમાં શું થયું? શરીરથી આત્માને ભિન્ન જાણીને સંતો તો ચૈતન્યમાં લીન થઈને આનંદને જ અનુભવે છે. સાધક સંતો ઉપર ઉપસર્ગ આવે ત્યાં તે દૂર કરવાની વૃત્તિનો ભાવ ધર્મી ભક્તોને આવ્યા વિના રહે નહિ, પરંતુ ત્યાં સામા સંતોને દુ:ખી માનીને તે ભાવ નથી આવતો, પણ પોતાના રાગને લીધે ભક્તિભાવને લીધે તેવી વૃત્તિ આવે છે. જેને સંયોગ તરફ ઝૂકાવ થઈને રાગ-દ્વેષ થાય છે તેને જ દુ:ખ થાય છે, પણ જેને સંયોગ તરફ ઝૂકાવ નથી ને સ્વભાવ તરફ જ ઝૂકાવ છે એવા સંતોને રાગદ્વેષ થતા નથી, અને તેથી ગમે તેવા સંયોગથી પણ તેમને દુઃખ થતું નથી, આનંદનો જ અનુભવ છે, ને એ રીતે ચૈતન્યના આનંદમાં લીન થઈને તે મુક્તિને સાધે છે.
શરીરને આત્મા માન્યો ત્યાં શરીર ઉપરના મમત્વને લીધે જ અજ્ઞાની દુઃખી ખેદખિન્ન થાય છે. પણ જ્યાં દેહથી આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com