________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૪૫ ખેદ જ પામે છે. આનંદમાં લીનતા હોય ત્યાં તો ખેદ વગર સહેજે તપ થઈ જાય છે; પણ જ્યાં આત્માનો આનંદ ન હોય ત્યાં ખેદ અને આકુળતા જ હોય છે.
દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ જ ધર્મનું સાધન છે તેને જે જાણતો નથી, ને શરીરને ધર્મનું સાધન માને છે તે શરીરને જ આત્મા માને છે. દેહથી પાર અવિનાશી ચૈતન્યનું અવલોકન તે કરતો નથી, ને દેહને આત્મા માને છે એટલે તેને તો દષ્ટિ જ ઊંધી છે. ઊંધી દૃષ્ટિથી તે ગમે તેટલા વ્રત-તપ-ત્યાગ કરે તોપણ તેને મુક્તિ થતી નથી; મોક્ષના કારણને તે જાણતો નથી. આત્મા શું ને અનાત્મા શું તેના ભેદજ્ઞાન વગર ધર્મનું સાધન થતું નથી. શુદ્ધચિદાનંદ સ્વભાવ હું છું –એમ જ્યાં સ્વ તરફ જ્ઞાન વળ્યું ત્યાં રાગાદિને હેય જાણીને તેનાથી પાછું વળ્યું. જો રાગને હેય ના જાણે તો જ્ઞાન તેની ઉપેક્ષા કરીને સ્વ તરફ કેમ વળે? જ્ઞાયકમૂર્તિ આત્મા જ મારે ઉપાદેય છે, એમ જાણીને સ્વભાવનું સાધન કર્યા વગર બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. ચૈતન્યના આનંદમાં લીનતા વગર અજ્ઞાની જે તપ વગેરે કરે છે તે બધોય કલેશ છે. ભગવાન જિનદેવની આજ્ઞા જાણ્યા વગર તે કલેશ કરે તો કરો, પણ તે કલેશવડે કાંઈ મુક્તિ પ્રાપ્ત થતી નથી. ખરેખર તો જેમાં કલેશ છે તેને તપ કહેવાય જ નહિ. તપ તો તેને કહેવાય કે જ્યાં ચૈતન્યનું પ્રતપન હોય, ને ચૈતન્યના આનંદનો ઉગ્ર અનુભવ હોય. જ્યાં ચૈતન્યની શાંતિનું વેદન નથી ત્યાં ખરેખર તપ નથી પણ તાપ” છે, કલેશ છે.
આત્માનો ચૈતન્યસ્વભાવ પોતે સુખરૂપ છે, ને દુઃખનું કારણ તો વિકાર છે. આ રીતે ચૈતન્યસ્વભાવ અને વિકાર એ બન્નેનું જ્યાં ભેદજ્ઞાન નથી ત્યાં વિકારથી આત્માને છુટકારો કયાંથી થાય? આત્માનો સ્વભાવ શું અને તેનાથી વિરુદ્ધ વિભાવ શું-તે બન્નેની ભિન્નતાને જે જાણતો નથી, ને દેહાદિને જ આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com