________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪: આત્મભાવના
નિજાત્માની ઉપાસના વિના બીજા
કોઈ ઉપાયથી મુક્તિ થતી નથી
*
જ્ઞાની અંતર્મુખ થઈને દેહાદિથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપની જ આરાધના કરે છે, એમ ૩૨મી ગાથામાં કહ્યું; હવે, દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ મારો આત્મા જ મારે આરાધ્ય છે એમ જે નથી જાણતો તે જીવ ઘોર તપ કરે તોપણ મુક્તિ નથી પામતો, એમ કહે છે
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् ।
लभते स न निर्वाणं तप्त्वापि परमं तपः ।। ३३ ।।
એ રીતે પોતાના ઉપયોગને બાહ્ય વિષયોથી વ્યુત કરીને એટલે કે અંતર્મુખ વાળીને, દેહાદિથી ભિન્ન અવિનાશી આત્માને જે જીવ નથી જાણતો, તે મહાન તપ કરે તોપણ નિર્વાણને નથી પામતો.
નિર્વાણનો માર્ગ તો અંત૨માં આત્માના આધારે છે. આત્માની શક્તિને જે જાણતો નથી તે પરાધીનપણે સંસારમાં રખડે છે. આત્મા દૈવી ચૈતન્યશક્તિવાળો દેવ છે, પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે.
તમે કઈ શક્તિના ઉપાસક? એમ પૂછતાં ધર્મી કહે છે કે હું મારી ચૈતન્યશક્તિનો જ ઉપાસક છું. પોતાની ચૈતન્યશક્તિને જાણીને તેની ઉપાસના વગર બીજા કોઈ ઉપાયે મુક્તિ થતી નથી.
જેને દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું ભાન નથી, ચૈતન્યના આહ્લાદનું વેદન નથી, ને દેહને જ આત્મા માનીને ઘોર તપશ્ચરણ કરે છે તે જીવ ઘોર તપ કરવા છતાં મુક્તિ પામતો નથી, માત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com