________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૪૩
છે તે જીવ વિષયોથી વ્યુત થતો નથી ને જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠરતો નથી, એટલે તે ભગવાનના પગલે આવતો નથી. મારા આત્માની જ ઉપાસના કરીને હું ઉપાસક-સાધક થયો છું. આવી સાધના તે જ ૫રમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે. દેહાદિથી ભિન્ન મારો આત્મા જ પરમાત્મશક્તિથી પરિપૂર્ણ છે, એમ ધર્મી પોતાના આત્માને જ ઉપાસ્ય જાણીને તેમાં એકાગ્રતાવડે તેની આરાધના કરે છે, ને તે ઉપાયથી ૫૨માત્મપદ પામીને અનંતકાળ સુધી શાંત ૫૨માનંદરસમાં જ મગ્ન રહે છે. (૩૨ )
******
****
મોક્ષ એટલે શું ? મોક્ષ એટલે પૂરું સુખ. રાગ સુખ છે કે દુઃખ ? રાગ તે દુ:ખ છે. રાગ વડે મોક્ષ થાય ? ના; રાગ વડે તો દુ:ખ થાય. જો દુ:ખ વડે સુખ થાય તો રાગ વડે મોક્ષ થાય. રાગવડે મોક્ષ માનવો તે તો દુઃખનો રસ્તો છે. રાગથી ભિન્ન આત્મને સાધવો તે સુખનો રસ્તો છે.
**********************
****
Please inform us of any errors on rajesh@AtmaDharma.com