________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨: આત્મભાવના
જ્ઞાનીને આનંદમય આત્મપ્રાપ્તિ
મારો આત્મા જ પરમાત્મસ્વરૂપ છે તેથી મારો આત્મા જ મારે ઉપાસ્ય છે-એમ જાણનાર ધર્મી શું કરે છે તે બતાવે છે
प्रच्याव्य विषयेम्थोऽहं मां मयैव मयि स्थितम्। बोधात्मानं प्रपन्नोऽस्मि परमानंदनिर्वृतम्।।३२।।
મારો આત્મા જ પરમાત્મસ્વરૂપ છે તેથી તે જ મારે આરાધ્ય છે-એમ મેં જાણું છે; તેથી હવે હું બાહ્ય ઇન્દ્રિયવિષયોથી મારા આત્માને શ્રુત કરીને, મારામાં સ્થિત જ્ઞાનસ્વરૂપ અને પરમ આનંદથી પરિપૂર્ણ એવા મારા આત્માને મારા વડે જ પામ્યો છું.
મારા ઉત્કૃષ્ટ જ્ઞાન-આનંદસ્વરૂપને હું મારા વડે જ પામ્યો છું, રાગવડે નહિ. રાગના રસ્તે ચાલવાથી જ્ઞાન આનંદમય પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. રાગના પગલે ચાલતાં ચાલતાં ધર્મ થવાનું જે માને છે તે જીવ પરમાત્માનાં પગલાંને ઓળખતો નથી, તે જીવ પરમાત્માના પંથે-પરમાત્માના પગલે નથી ચાલતો. જેણે પરમાત્મા થવું હોય તેણે પરમાત્માના પગલે ચાલવું જોઈએ. બાહ્ય વિષયોથી ટ્યુત થઈને આત્માના પરમ જ્ઞાનાનંદસ્વરૂપમાં સ્થિર થવું તે જ પરમાત્માનો પંથ છે. હે જીવ! તારે પરમાત્મા થવું હોય તો તું આ રીતે પરમાત્મસ્વરૂપની ભાવના કરીને પરમાત્માના પગલે પગલે ચાલ..પરમાત્મતત્વની અભેદ ભાવના ભાવીને ચૈતન્ય-જિનપ્રતિમા
થા.
ધર્મી કહે છે કે મારા પરમાત્મસ્વરૂપને જ પરમ આરાધ્ય જાણીને હું મારામાં જ સ્થિર થયો છું ને એ રીતે હું જિનેન્દ્ર ભગવાનના પુનિત પગલે ચાલ્યો જાઉં છું. રાગથી જે ધર્મ માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com