________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૨૫ છે પણ મને તો દેખતા જ નથી, તો દેખ્યા વગર શત્રુ કે મિત્ર ક્યાંથી માને? જેને જેનો પરિચય જ નથી તે તેને શત્રુ કે મિત્ર કયાંથી માને ? અજ્ઞ જનોને બોધસ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી, તેમના ચર્મચક્ષુથી તો હું અગોચર છું, તેઓ બિચારા પોતાના આત્માને પણ નથી જાણતા તો મારા આત્માને તો
ક્યાંથી જાણે? અને મને જાણ્યા વગર મારા સંબંધમાં શત્રુમિત્રપણાની કલ્પના કયાંથી કરી શકે?
અને, આત્માના સ્વરૂપને જાણનારા વિજ્ઞ જનો તો કોઈને શત્રુ-મિત્ર માનતા નથી; તેઓ તો મને પણ જ્ઞાનસ્વરૂપે જ દેખે છે. એટલે મારા સંબંધમાં તેમને પણ શત્રુ-મિત્રપણાની કલ્પના થતી નથી.
પરમાં શત્રુ-મિત્રપણાની કલ્પના અજ્ઞાનીને થાય છે, પણ તે તો મારા આત્માને દેખતો નથી; અને જ્ઞાની મારા આત્માને દેખે છે પણ તેમને કોઈ પ્રત્યે શત્રુ-મિત્રપણાની કલ્પના થતી નથી, માટે મારે કોઈ શત્રુ-મિત્ર નથી ને હું કોઈનો શત્રુ-મિત્ર નથી-એમ ધર્મી જાણે છે.
પ્રશ્ન:- ભરત અને બાહુબલિ બંને જ્ઞાની હતા છતાં બન્ને સામસામા લડ્યા હતા, છતાં કોઈ કોઈના શત્રુ નથી?
ઉત્તર- બન્નેને અસ્થિરતાનો દ્વેષ હતો, પણ સામા આત્માને પોતાનો શત્રુ માનીને તે દ્વષ થયો ન હતો. તે વખતે ભાન હતું કે હું જ્ઞાનસ્વરૂપ છું ને સામો આત્મા પણ જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મારો શત્રુ કે મિત્ર નથી, ને હું તેનો શત્રુ કે મિત્ર નથી. બન્નેને અંતરમાં બોધસ્વરૂપ આત્માનું ભાન હતું એટલે અભિપ્રાય-અપેક્ષાએ કોઈ કોઈને શત્રુ-મિત્ર માનતા ન હતા. અને આવા આત્માને જાણીને પછી તેની ભાવનામાં સ્થિર થતાં એવી સમાધિ થાય છે કે કોઈ પ્રત્યે દ્વેષની કે રાગની વૃત્તિ જ નથી ઊઠતી; માટે તેને કોઈ શત્રુ કે મિત્ર નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com