________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૨૩ સ્વરૂપમાં છે જ નહિ ને બહારના કોઈ મારા શત્રુ કે મિત્ર નથીઆવા વીતરાગી અભિપ્રાયપૂર્વક ચૈતન્યની ભાવનાથી વીતરાગી સમાધિ થાય છે. પણ પરને પોતાનું ઇષ્ટ-અનિષ્ટ માને પરને મિત્ર કે શત્રુ માને તેને રાગદ્વેષ કદી છૂટી નહિ. માટે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને ભાવના કરવી તે જ રાગાદિના નાશનો ને સમાધિનો ઉપાય છે.
આ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી કેમકે શરીર હું નથી, શરીરનો ઘાત કરનાર મારા શત્રુ નથી કેમકે શરીર હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું. મારા જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન કરીને તેની ભાવનાથી રાગાદિનો ક્ષય થતાં મને કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતા નથી. સમ્યગ્દષ્ટિ અંતરાત્મા કોઈ રાજા હોય ને લડાઈનો પણ પ્રસંગ આવી જાય, છતાં તે પ્રસંગેય તેને ભાન છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારા જ્ઞાનસ્વરૂપને આ જગતમાં કોઈ મિત્ર કે વેરી નથી. આવો વીતરાગી અભિપ્રાય ધર્મીને કોઈ ક્ષણે છૂટતો નથી. અને આવા અભિપ્રાયને લીધે જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના કરતાં રાગાદિનો ક્ષય થાય છે. ચોથા ગુણસ્થાને હજી અમુક રાગ-દ્વેષ થાય છે તેટલો દોષ છે પણ કોઈ પરને શત્રુ કે મિત્ર માનીને તે રાગદ્વેષ થતા નથી, તેમજ જ્ઞાનસ્વરૂપમાં તે રાગદ્વેષ કર્તવ્યપણે ભાસતા નથી; “હું જ્ઞાનસ્વરૂપ છું' એવી આત્મભાવનાના જોરે ધર્મીને રાગાદિ નાશ થતા જાય છે.
જ્યાં સુધી આ જીવ પોતાના નિજાનંદસ્વભાવના સહજ અમૃતનું પાન નથી કરતો ત્યાં સુધી જ બાહ્ય પદાર્થોને ભ્રમથી તે ઇષ્ટઅનીષ્ટ માને છે. તેથી ઈષ્ટ સંયોગમાં તે મિત્રતા માને છે ને અનીષ્ટ સંયોગમાં તે શત્રુતા માને છે; આ રીતે પરને મિત્ર કે શત્રુ માનતો હોવાથી રાગ-દ્વેષનો તેનો અભિપ્રાય છૂટતો નથી, ને વીતરાગી શાંતિ તેને થતી નથી. પણ જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વીતરાગી અમૃતનું પાન કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com