________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨: આત્મભાવના: જ્ઞાનસ્વરૂપના અનુભવમાં વીતરાગતા
તેમાં શત્રુ-મિત્રનો અભાવ
આત્માને સમાધિ કેમ થાય-વીતરાગી શાંતિ કેમ થાય તેનું આ વર્ણન છે. મારો આત્મા દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છે-એમ પરથી ભિન્ન આત્માને જાણ્યા વગર સમાધિ થાય નહિ. જે પોતાને પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ જાણે છે તેને પરમાં “આ મારો મિત્ર કે આ મારો શત્રુ” એવી બુદ્ધિ રહેતી નથી; એટલે બોધસ્વરૂપ આત્માના લક્ષે તેને એવો વીતરાગભાવ થઈ જાય છે કે કોઈ મારો શત્રુ કે કોઈ મારો મિત્ર એમ તે માનતો નથી. તે વાત હવેની ગાથામાં કહે છે
क्षीयन्तेऽत्रैव रागाधास्तत्त्वतो मां प्रयश्यतः। बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ।। २५।।
મારા જ્ઞાનસ્વરૂપ આત્માના અવલોકનથી અહીં જ રાગદ્વેષાદિ દોષો ક્ષય પામી જાય છે, તેથી મારે કોઈ મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. જુઓ, આ વીતરાગી સમાધિની રીત! હું તો જ્ઞાનસ્વરૂપ જ છું -એમ નક્કી કરીને પોતાના જ્ઞાનસ્વરૂપની ભાવનામાં રહ્યો ત્યાં બહારમાં કોઈ મને મારા શત્રુ કે મિત્ર ભાસતા નથી, કેમકે જ્ઞાનસ્વરૂપની ભાવનાથી રાગદ્વેષનો નાશ થઈ ગયો છે. જેના ઉપર રાગ હોય તેને પોતાનો મિત્ર માને, તથા જેના ઉપર દ્વેષ હોય તેને શત્રુ માને, પણ હું તો બોધસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું-એવી ભાવનામાં રાગ-દ્વેષનો ક્ષય થતાં કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતાં નથી. પહેલાં આવો વીતરાગી અભિપ્રાય થયા વગર કદી રાગ-દ્વેષનો નાશ થાય નહિ ને વીતરાગી સમાધિ પ્રગટે નહિ. હું જ્ઞાનસ્વરૂપ છું; રાગ-દ્વેષ મારા જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com