________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૨૧ સૂતેલા (એટલે કે આદર વગરના) છે; અને જ્ઞાનીઓ પોતાના જે ચૈતન્યતત્ત્વના સ્વસંવેદનમાં જાગૃત છે તેમાં અજ્ઞાનીઓ સૂતેલા છેભાન વગરના છે, તેમનાં જ્ઞાનચક્ષુ બીડાઈ ગયેલાં છે.
જ્યાં અંતરમુખ થઈને અતીન્દ્રિય આત્માનું સ્વસંવેદન થયું ત્યાં ધર્મીના ચૈતન્યચક્ષુ ખૂલી ગયા, અનાદિની અજ્ઞાનનિદ્રા ઊડી ગઈ. તે કહે છે કે અહા ! આવા મારા તત્ત્વને અત્યારસુધી કદી મેં નહોતું જાણું, પણ હવે સ્વસંવેદનથી મેં મારા આત્મતત્ત્વને જાણી લીધું છે...હવે જાગૃત થયો છું. (૨૪)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જ્ઞાની-ધર્માત્મા જગતના કાર્યોનો ઉત્સાહ છોડીને નિજસ્વરૂપના ઉત્સાહમાં સદાય જાગૃત વર્તે છે. નિજસ્વરૂપમાં જેનો ઉપયોગ છે તે જાગૃત છે.
ચૈતન્યસ્વરૂપથી જે વિમુખ છે તે ઊંઘતો છે. * * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com