________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦: આત્મભાવના
કરતો હોય તોપણ ચિદાનંદસ્વરૂપની જાગૃતિ વિના તે ઊંઘતો જ છે.
કોઈ એમ પણ કહે છે કે ‘અજ્ઞાની ઊંઘતા સારા, કેમ કે ઊંઘમાં પાપ ન થાય’–તો તે વાત જૂઠી છે. ઊંઘ વખતેય અજ્ઞાનીને મિથ્યાત્વાદિ પાપોનું સેવન વર્ત્યા જ કરે છે. અને જ્ઞાનીને ઊંઘ વખતેય ચૈતન્યસ્વરૂપની પ્રતીતિરૂપ જાગૃતિ વર્ત્યા જ કરે છે. માટે અહીં તો એક નિયમ બતાવ્યો કે જેને શુદ્ધ ચૈતન્યની ઉપલબ્ધિ છે તે જ જાગે છે, અને જેને શુદ્ધ ચૈતન્યની ઉપલબ્ધિ નથી તે ઊંઘે જ છે. ‘હું કોણ છું’ તેનું મને અજ્ઞાનદશામાં ભાન ન હતું-હું બેભાન હતો; હવે મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન થતાં હું જાગ્યો ને સ્વસંવેધ ચૈતન્યતત્ત્વને જ મેં મારાપણે અનુભવ્યું. આમ ધર્મી પોતાના આત્મસ્વરૂપને અનુભવે છે.
જેમ ઊંઘમાં સૂતેલા મનુષ્યને આસપાસનું ભાન રહેતું નથી, તેમ દેહમાં આત્મબુદ્ધિ કરીને મોનિદ્રામાં સૂતેલા પ્રાણીઓને સ્વ-પરનું કાંઈ ભાન નથી. સંતો સ્વ-૫૨નું ભેદજ્ઞાન કરાવીને તેની મોહનિદ્રા છોડાવે છે, ને તેને જગાડે છે કે અરે જીવ! તું જાગ... જાગ! જાગીને તારા ચૈતન્યપદને જો. તું ૫૨માં જાગૃતિ કરીને તારા ચૈતન્યપદને ભૂલી રહ્યો છે, એટલે અજ્ઞાનરાત્રિમાં સૂતો છે, તેમાંથી હવે જાગ. જ્ઞાની તો પોતાના ચૈતન્યસ્વરૂપને દૃષ્ટિમાં લઈને તેની સાધનામાં સદા જાગૃત છે. મધરાતે જગતના પ્રાણીઓ નિદ્રામાં સૂતા હોય પણ સંત-મુનિવરો તો મધરાતે પણ ચૈતન્યના ધ્યાનની મસ્તીમાં જાગતા હોય. અહીં તો કહે છે કે જ્યારથી ચિદાનંદસ્વભાવનું સ્વસંવેદન થયું ત્યારથી આત્મા જાગ્યો. અજ્ઞાનીઓ રાગાદિ વ્યવહારમાં જ જાગૃત છે એટલે કે રાગમાં જ ઉત્સાહરહિત છે. આ રીતે જે વ્યવહારમાં અજ્ઞાનીઓ જાગે છે તેમાં જ્ઞાનીઓ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com