________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૧૯
આવે તેવું છે. આવું સ્વસંધતત્ત્વ હું છું.
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि।
जो जर्गाद ववहारे सो सुत्तो अप्पणे कज्जे।।
મોક્ષપ્રાભૃત” ની આ ગાથામાં કુંદકુંદાચાર્યદવ કહે છે કે જે જીવો વ્યવહારમાં સૂતેલા છે (એટલે કે વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે), તેઓ પોતાના આત્મકાર્યમાં જાગૃત છે; અને જેઓ વ્યવહારમાં જાગે છે એટલે કે વ્યવહારમાં તન્મય વર્તે છે તેઓ પોતાના આત્મકાર્યને માટે ઊંધે છે. વ્યવહારનો આશ્રય કરીને લાભ માનનાર જીવ અજ્ઞાની છે, તે શુદ્ધઆત્માને જાણતો નથી, તેમજ બીજા તત્ત્વોના સ્વરૂપને પણ તે જાણતો નથી, માટે તે મોહનિદ્રામાં સુતેલો છે. જ્ઞાની તો પોતાના ચિદાનંદસ્વરૂપને દેહાદિથી તથા રાગાદિથી ભિન્ન જાણીને તેની ભાવનામાં જાગૃત છે ને વ્યવહારમાં તે અજાગૃત છે એટલે કે તેને રાગાદિ પ્રત્યેનો ઉત્સાહ તૂટી ગયો છે...ચૈતન્યસ્વરૂપમાં જ ઉત્સાહુ વર્તે છે.
ધર્મી કહે છે કે અરે! અત્યાર સુધી મારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને હું અજ્ઞાનરૂપી નિદ્રામાં અસાવધાનપણે સુતો....પણ હવે ચૈતન્યસ્વરૂપને જાણીને હું જાગ્યો ને સાવધાન થયો; મેં મારા સ્વરૂપને ઇન્દ્રિયોથી પાર જાણું, રાગથી પાર જાણ્યું, સિદ્ધ જેવા અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ મારા આત્મસ્વરૂપને મેં સ્વસંવેદનથી જાયુંતેથી હવે હું જાગૃત છું.
, ધર્મી સદાય જાગૃત છે ને અજ્ઞાની તો સદાય અસાવધાનીથી ઊંઘતો છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ જ છું એવી આત્મજાગૃતિ ધર્મીને ક્ષણમાત્ર પણ ખસતી નથી, ઊંઘ વખતેય એવી જાગૃતિ-પ્રતીતિ છૂટતી નથી તેથી તે જાગૃત જ છે. અને મિથ્યાદષ્ટિને ચૈતન્યસ્વરૂપમાં ઉત્સાહરૂપ જાગૃતિ નથી, આત્માને ભૂલીને તે તો ઊંઘે જ છે; જાગતો હોય-શાસ્ત્ર વાંચતો હોય-ભક્તિ વગેરે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com