________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ : આત્મભાવના હું મારા ચૈતન્યચિહુનથી સ્વસંવેધ છું.
બાહ્યચિલ્ડ્રન હું નથી
હવે “પુરુષ, હું સ્ત્રી, હું નપુંસક” એમ બાહ્ય લિંગમાં આત્માની જે ભ્રમણા, તેમજ “હું એક, હું બે' ઇત્યાદિ સંખ્યામાં આત્માની જે ભ્રમણા, તે દૂર કરવા માટે, લિંગ અને સંખ્યાથી જાદુ અસાધારણ આત્મસ્વરૂપ બતાવે છે
येनात्मनाऽनुभूयेऽहं आत्मनैवात्मनात्मनि। सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः।।२३।।
હું મારા આત્માને, ચૈતન્યસ્વરૂપ આત્માવડે આત્માના સ્વસંવેદનથી આત્મામાં જ અનન્યપણે અનુભવું છું; તે જ હું છું. એ સિવાય સ્ત્રી-પુરુષ વગેરે ચિહ્નો કે એક-બે વગેરે સંખ્યાના વિકલ્પો તે હું નથી. સ્વસંવેદનગમ્ય ચૈતન્ય જ મારું ચિહ્ન છે.
સ્ત્રીપણું, પુરુષપણું વગેરે ચિતવડે તો શરીર ઓળખાય છે, પણ તે ચિતવડ કાંઈ આત્મા નથી ઓળખાતો. વ્યાકરણનાં વચનો અને વિભક્તિઓ અરૂપી આત્માને સ્પર્શતા નથી એટલે કે ભાષાના શબ્દોથી ગમ્ય થાય એવો આત્મા નથી, આત્મા તો પોતે પોતાથી જ
સંવેદનમ્ય છે. આવા આત્માને જે જાણે છે તેને સાચી આત્મભાવના થાય છે, તેને જ સમાધિ-સુખ-શાંતિ અથવા ધર્મ થાય છે.
સમાધિને માટે દેહાદિથી ભિન્ન સ્વસંવેદ્ય જ્ઞાનાનંદસ્વરૂપી આત્માની ભાવનાનું આ વર્ણન ચાલે છે. પુરુષપણું-સ્ત્રીપણું વગેરે શરીરના આકારો તે હું નથી, તેમજ તે સંબંધી વિકાર પણ ઉપાધિભાવ છે, તે મારા સ્વસંવેધ આત્માથી બાહ્ય છે. વળી હું એક છું–અનેક ઇત્યાદિ વિકલ્પોથી પણ હું પાર છું બાહ્ય લિંગો અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com