________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૪ : આત્મભાવના
જીવ જેનાથી પોતાને જ્ઞાન ને સુખ થવાનું માને તેને ‘આત્મા' જ માને છે. જે ઇન્દ્રિયોથી કે ૫૨થી જ્ઞાનાનંદ થવાનું માને છે તે, જડને જ આત્મા માનીને તેના દાસપણે વર્તે છે. ધર્મી જાણે છે કે મેં પણ પૂર્વે અજ્ઞાનદશામાં ભ્રમણાથી દેહને જ આત્મા માનીને ચેષ્ટાઓ કરી....પણ હવે ભાન થયું કે આ દેહ તો મારાથી અત્યંત ાદો અચેતન છે; જેમ લાકડાને થાંભલો મારાથી જુદો છે તેમ આ દેહ પણ મારાથી જુદો છે. હું તો અરૂપી ચૈતન્યસ્વરૂપી સ્વસંવેધ છું. શરીરથી મારી જાત જ જુદી છે.
હું
હું
હું
* શરીર રૂપી,
* શરીર જડ,
અરૂપી;
ચેતન;
અસંયોગી;
અવિનાશી;
દેખતો;
* શરીર સંયોગી,
* શરીર વિનાશી,
* શરીર આંધળું, હું
* શરીર ઇન્દ્રિયગ્રાહ્ય,હું
* શરીર મારાથી બાહ્ય પરતત્ત્વ,
અને હું અંતરંગ ચૈતન્યમૂર્તિ સ્વતત્ત્વ;
આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે.
અતીન્દ્રિય-સ્વસંવેદનગ્રાહ્ય;
આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જ્યાં ભેદજ્ઞાન થયું અને યથાર્થ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન થયું ત્યાં શીરાદિમાં આત્મબુદ્ધિનો ભ્રમ છૂટી ગયો, શરીરના સુધરવા-બગડવાથી મારું કાંઈ સુધરે કે બગડે-એવો ભ્રમ છૂટી ગયો, ને દેહાદિ પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને ચિદાનંદસ્વભાવમાં વળ્યો....આનું નામ સમાધિ છે. ભિન્ન આત્મતત્ત્વના ચિંતન વિના સમાધિ થાય જ નહિ. પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણ્યા વિના તેમનાથી ઉપેક્ષા થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com