________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧/૯ દેહને આત્મા માનીને અજ્ઞાનથી કેવી ચેષ્ટા કરી? તેનું દષ્ટાંતસહિત વર્ણન
ઉપર કહ્યો તેવા આત્મસ્વરૂપના જ્ઞાન વગર પૂર્વે અજ્ઞાનદશામાં મેં કવી ચેષ્ટા કરી–તે ધર્મે વિચારે છે –
उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितं। तद्वन्मे चेष्टितं पूर्वं देहादिष्वात्मविभ्रमात्।।२१।।
જેમ કોઈ પુરુષને ઝાડના પૂંઠામાં “આ પુરુષ છે” એવી ભ્રાંતિ થઈ જાય અને તે ભ્રાંતિને લીધે તેને બોલાવે,–તેના ઉપર ખીજાય, વળી તેને મનાવે-એમ અનેક પ્રકારની વ્યર્થ ચેષ્ટા કરે તેમ મેં પણ પૂર્વે ભ્રમથી આ દેહરૂપ ટૂંઠાને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી, અને તેથી હું દુઃખી થયો.
જેમ કોઈ પુરુષ રાત્રે અંધારામાં કોઈ માણસને મળવા ગયો હોય, ત્યાં ઝાડના પૂંઠાને દેખીને ભ્રમણાથી એમ માની લ્થ કે આ માણસ છે. એમ માનીને તેને બોલાવે.-ભાઈ બોલોને! કેમ બોલતા નથી! મારાથી કેમ રીસાણા છે?” પણ ઠૂંઠું તો કાંઈ બોલે નહિ, એટલે ખીજાઈ ને તેને બાથ ભરવા જાય, ત્યાં ખબર પડે કે અરે ! આ તો ઝાડનું ટૂંઠું! મેં તેને માણસ માનીને અત્યાર સુધી વ્યર્થ ચેષ્ટાઓ કરી. તેમ અજ્ઞાની જીવ આ દેહને જ આત્મા માની રહ્યો છે, દેહ તો ઝાડના ઠૂંઠા જેવો જડ છે છતાં તેને જ જીવ માનીને “હું બોલું, હું ખાઉં' એમ અજ્ઞાની વ્યર્થ ચેષ્ટાઓ કરે છે. ધર્મી જાણે છે કે અરે, મેં પણ પહેલાં અજ્ઞાનદશામાં શરીરને આત્મા માનીને ઉન્મત્તવત્ વ્યર્થ ચેષ્ટાઓ કરી; હવે ભાન થયું કે અહો, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ જ છું, આ દેહ તો જડ અચેતન છે; દેથી હું અત્યંત જુદો જ છું, પૂર્વે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com