________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧) : આત્મભાવના પણ જુદો જ હતો પણ ભ્રમથી તેને મારી માનીને મેં વ્યર્થ ચેષ્ટાઓ કરી હતી.
બળદેવ-વાસુદેવને અતિશય પ્રેમ હોય છે; જ્યારે વાસુદેવ મરી જાય છે ત્યારે બળદેવ અતિશય પ્રેમીને લીધે તેના મડદાને છ મહિના સુધી સાથે ફેરવે છે, ને જાણે તે હજી જીવતા જ હોય એમ તેની સાથે ચેષ્ટા કરે છે. લક્ષ્મણજી મરી જતાં રામચન્દ્રજી તેના મૃતકશરીરને લઈને ફરે છે ત્યારે કહે છે કે અરે ભાઈ ! હવે તો તું બોલ, મારા ઉપર તે આવી રીસ કદી કરી નથી; સવાર પડે ત્યાં કહે કે ભાઈ લક્ષ્મણ ! હવે તો તું ઊઠ, સવાર થઈ ગઈ; કયાં સુધી સૂઈ રહીશ? જિનેન્દ્ર ભગવાનની પૂજાનો અવસર ચાલ્યો જાય છે. વળી તેને નવરાવે, તેના મોઢામાં કોળીઓ મૂકીને તેને ખવરાવે એમ અનેક પ્રકારની ચેષ્ટાઓ મડદા સાથે કરે છે. (જો કે આ પ્રસંગે પણ રામચંદ્રજી તો આત્મજ્ઞાની હતા, તેમને માત્ર અસ્થિરતાનો મોટું હતો, આત્માને દેહાદિથી ભિન્ન જ જાણતા હતા એટલે અજ્ઞાન ન હતું; પણ અહીં તો મરેલાને જીવતું માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી તે બતાવવા માટે દષ્ટાંત લીધું છે.) તેમ આ શરીર તો સદાય જડ મૃતકકલેવર છે પણ અજ્ઞાની જીવ મોહથી આ શરીર તે જ હું છું એમ માનીને તેની સાથે વ્યર્થ ચેષ્ટાઓ કરે છે. અજ્ઞાની જીવ આ જડ દેહરૂપી મડદાને જીવતું માનીને (એટલે કે તેને જ આત્મા માનીને) અનંતકાળથી તેને સાથે ફેરવી રહ્યો છે; મૃતક કલેવરમાં ચૈતન્ય ભગવાન મૂર્છાઈ ગયો છે. દેહની ચેષ્ટાઓથી જે પોતાને સુખી-દુઃખી માને છે, દેહુની ક્રિયા હું કરું એમ માને છે, દેહુની ક્રિયા ધર્મનું સાધન થાય એમ માને છે તે બધાય શરીરને જ આત્મા માનનારા છે. તેઓ પોતાના શ્રદ્ધા-જ્ઞાનરૂપી ખંભા ઉપર જડ મડદાને જ ધારણ કરીને ભવભ્રમણમાં રખડી રહ્યા છે. રામચંદ્રજીને તો જ્યારે ખભે લક્ષ્મણનું મડદું હતું ત્યારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com