________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ : આત્મભાવના
સ્વસંવેધ આત્માની ભાવના આત્મા સ્વભાવને છોડતો નથી, ને પરભાવને ગ્રહતો નથી
સમકિતી અંતરાત્મા સ્વસંવેદનથી પોતાના નિર્વિકલ્પ આત્મસ્વરૂપને કેવું જાણે છે તે કહે છે
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति। जानाति सर्वथा सर्वं तत्स्वसंवेधमस्म्यहम्।।२०।।
અગ્રાહ્ય એવા ક્રોધાદિ વિકારી ભાવોને પોતાના સ્વરૂપમાં જે ગ્રહતો નથી. અને ગુહીત એવા પોતાના અનંત જ્ઞાનાદિસ્વરૂપને જે કદી છોડતો નથી, જે સર્વથા સર્વને જાણે છે-એવો સ્વસંવેધ હું છું. એમ ધર્મી જાણે છે.
હું તો સદાય જ્ઞાન-દર્શન-આનંદસ્વરૂપ જ છું, શરીર-મનકર્મ-રાગ-દ્વેષ વગેરેને મારા સ્વરૂપમાં મેં કદી ગ્રહ્યા જ નથી, મારા જ્ઞાનસ્વરૂપથી તે જુદા ને જુદા જ છે. મારો સહજસ્વભાવ જ્ઞાનઆનંદસ્વરૂપ છે તેને હું કદી છોડતો નથી; મારો આત્મા ક્રોધાદિ સ્વરૂપ નથી પણ સર્વનો જાણનાર જ છે–આવો આત્મા જ હું છું– એમ અંતરાત્મા પોતાના સ્વસંવેદનથી અનુભવે છે.
જુઓ, આ સમકિતીનો આત્મા! સમકિતી પોતાના આત્માને શરીરરૂપ કે રાગાદિરૂપ નથી માનતો, પણ જ્ઞાયક સ્વરૂપ જ માને છે. આત્મા ગૃહીત એવા પોતાના સહજ જ્ઞાનાદિ સ્વરૂપને છોડતો નથી. જ્ઞાનાદિને “ગૃહીત' કહ્યા એનો અર્થ એમ નથી કે તેને આત્માએ નવા ગ્રહણ કર્યા છે; પરંતુ અનાદિથી જ આત્મા તે જ્ઞાનાદિસ્વરૂપ જ છે, તે સ્વરૂપથી આત્મા કદી છૂટતો નથી; અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com