________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૦૫ અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ સત્ અને અસને અવિશેષપણે પોતાની સ્વેચ્છાથી ઉન્મત્તની જેમ ગ્રહણ કરે છે, તેને સત્-અસતનો વિવેક નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. જે જીવ શુભરાગથી ધર્મ માને છે તે પણ રાગને અને ધર્મને એકપણે માને છે એટલે સત્-અસને એકપણે માને છે તેથી તે મિથ્યાદષ્ટિ ઉન્મત્ત છે. અહીં તો એવું મિથ્યાત્વ ટળ્યા પછી પણ, અસ્થિરતાના રાગની જે ચેષ્ટા છે તે પણ નિરર્થક હોવાથી તેને ઉન્મત્તચેષ્ટા જાણીને, સંતો તે છોડીને સ્વરૂપમાં ઠરવાની ભાવના ભાવે છે–તેની વાત છે.
જાઓ તો ખરા આ વીતરાગમાર્ગ! એક શુભ વિકલ્પ પણ વીતરાગમાર્ગમાં પાલવતો નથી. વસ્તુનું સ્વરૂપ વિકલ્પાતીત છે, તેના અનુભવરૂપ વીતરાગમાર્ગ છે; અને તેમાં જ આનંદ તથા સમાધિ છે. (૧૯)
* * *
* * * *
* * *
* *
*
* *
* *
* * *
* *
*
ચૈતન્યસ્વરૂપની સ્વાનુભૂતિમાં રમતા જ્ઞાનીઓને દેખીને મુમુક્ષુને સ્વાનુભવની પ્રેરણા
જાગે છે.
*
* * *
* *
* *
* * *
* *
* *
* * *
* *
* *
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com