________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ : આત્મભાવના
,,
જ શરણ છે, જૈનધર્મનું જ શરણ છે. પ્રભો! આપે બતાવેલા ધર્મની આરાધના અધૂરી રહી ગઈ તેથી અહીં અવતાર થયો હતો, હવે મનુષ્યઅવતાર પામીને અમારી આરાધના પૂરી કરશું ને મુક્તિ પામશે. એમ ભાવના ભાવતાં જિનેન્દ્રદેવના ચરણસમીપે જ દેહ છૂટી જાય છે, ને પરમાણુઓ છૂટા થઈને ઊડી જાય છે. જીઓ, અંદર ચૈતન્યનું શરણ ભાસ્યું છે એટલે તેના જોરે આવી ભાવનાથી દેહ છોડે છે. જ્યારે મૂઢ અજ્ઞાની જીવો તો અસમાધિપણે વલોપાત કરી કરીને મરે છે.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ બાહ્ય વિષયોથી છોડાવીને અંતરમાં ચૈતન્યનું શરણ કરાવે છે; તે જીવનું તિ છે, કેમકે ચૈતન્યના અનુભવથી જ ભવનો નાશ થઈને મોક્ષસુખ પ્રગટે છે.
‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ, ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ ’
દેહને જ જેણે આત્મા માન્યો છે, વિષયોમાં જ જેણે સુખ માન્યું છે એવા મૂઢ જીવોને વીતરાગની વાણી પ્રતિકૂળ પડે છે, કેમ કે વીતરાગની વાણી તો વિષયોનું વિરેચન કરાવનારી છે. મૂઢ કાયર જીવો વિષયોની લીનતા છોડીને ચૈતન્યને દેખી શક્તા નથી, તેઓ તો ચૈતન્યના પુરુષાર્થથી રહિત છે, તેમનામાં ભવરહિત એવા વીતરાગની વાણીનો નિર્ણય કરવાની તાકાત નથી. “ અહો જીવો ! તમારું સુખ તમારામાં છે, બાહ્ય વિષયોમાં કયાંય સુખ નથી, આત્મા જ સુખસ્વભાવી છે, માટે આત્મામાં અંતર્મુખ થયે જ સુખ છે'આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં તો આત્માર્થી જીવનો આત્મા ઝણઝણી ઊઠે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી !! આત્માના પરમશાંતરસને બતાવનારી આ વાણી અપૂર્વ છે! વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે, એ ભવરોગનો નાશ કરનાર અમોધ ઔષધ છે.-આમ તેનો
Please inform us of any errors on rajesh @AtmaDharma.com