________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૯૫ આનંદ પ્રાપ્ત થતાં તે અપૂર્વ લાભથી જ્ઞાની પરમ સંતુષ્ટ થઈને કૃતકૃત્યના અનુભવે છે. તેને હવે ઇન્દ્રિયવિષયો વિરસ લાગે છે, વિષયોની કથાનું કૌતુક તેને શમી જાય છે, વિષયોની ગોષ્ઠી-પ્રીતિ છૂટી જાય છે, શરીર પ્રત્યેની પ્રીતિ પણ છૂટી જાય છે, વાણી જાણે મૌન થઈ જાય છે, આનંદસ્વરૂપ પોતાના આત્માના ચિંતનથી સમસ્ત દોષસહિત મન પણ પંચત્વને પામે છે એટલે કે નાશ પામે છે, ને આત્મા આનંદમાં એકાગ્ર થતો જાય છે.-અંતરાત્માની આવી દશા હોય છે. [૧૬ ના
અહીં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો ! આવા અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય શું છે? તેનો ઉત્તર હવે કહેશે.
*
*
* * *
* * *
*
* * *
* * *
*
* * *
* * *
*
અહ, આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષનું અપાર સામર્થ્ય છે: સ્વસંવેદનથી અંતરમાં ચૈતન્યરસ ચાખ્યા પછી હવે અમારું ચિત્ત બીજે કયાંય લાગતું નથી; ચિત્ત ચૈતન્યમાં જ સંલગ્ન છે. નિજસ્વરૂપમાં લાગેલા ચિત્તને પરની ચિંતા કરવાની નવરાશ જ કયાં છે?
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com