________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીસર્વજ્ઞવીતરાગાય નમ:
:: વિષય-પ્રવેશ ::
*
*
*
સ્વ. શાહ પં. દીપચંદજી કાચલીવાલ કૃત આ (હિંદી) આત્માવલોકન ગ્રંથના સંપાદક શ્રીપંડિત શ્રેયાંસકુમારજી શાસ્ત્રી ન્યાયતીર્થ છે. આ ગ્રંથ શ્રીપાટની દિ. જૈનગ્રંથમાલામાંથી પ્રકાશિત થયેલ છે. તે પુસ્તકના આધારે જ અક્ષરશઃ આ ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે.
આત્માર્થી અધ્યાત્મપંડિત શ્રીદીપચંદજી કાલીવાલનું પ્રસ્તુત પુસ્તક “આત્માવલોકન” સંક્ષિપ્ત અને મહત્વપૂર્ણ આધ્યાત્મિક કૃતિ છે. અધ્યાત્મ રસિક જીવોને આત્માનું મૂળ સ્વરૂપ સમજાય અને શુદ્ધ આત્માનો અનુભવ થાય તેવી ઉચ્ચ કોટિનું ઉપયોગી પુસ્તક છે. ગ્રંથાધિરાજ શ્રીસમયસારના આધ્યાત્મિક રહસ્યનો તેમાં સચોટપણે નિચોડ આવેલો છે. આ પુસ્તિકાને શ્રીસમયસારના અધ્યામિક ભાવોને સમજવાની અને ઉકેલવાની ચાવીરૂપ કહીએ તો કંઈ ખોટું નથી.
પ્રસ્તુત ગ્રંથની ભાષા ઢંઢારી અને તુટક છે. તેથી અનુવાદ કરવામાં મુશ્કેલી નડે તે સ્વાભાવિક છે. તેથી ભાષાંતરમાં ક્યાંય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com