________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન સ્તોત્ર
૧૫૯ પુન :સમ્યગ્દષ્ટિ જીવક, બુધવાર સમ્યમ્ સદીવ;
સ્વપ૨ જાનૈ ભેદસ્ય, રહે ભિન્ન જ્ઞાયક સુકીવ. ૯.
અર્થ - સમ્યગ્દષ્ટિ જીવને સમ્યગ્દધધારા નિરંતર હોય છે; સ્વપરને ભિન્ન જાણવાથી તે સમ્યક્ પ્રકારે ભિન્ન જ્ઞાયક રહે છે.
ચોપાઈમન ઇન્દ્રિ તબ હી લૌં ભાવ, ભિન્ન ભિન્ન સાથે શેયકોઠાવ; સબ મિલિ સાથે જબ ઇક રૂપ, તબ મન ઇન્દ્રિકા નહિ રૂપ. ૧૦.
અર્થ:- જ્યાં સુધી ઉપયોગના ભેદ ભિન્ન ભિન્ન જ્ઞયસ્થાનોનું સાધન કરે છે ત્યાંસુધી જ મનઈન્દ્રિયભાવ છે અને જ્યારે સર્વ ઉપયોગ એક સ્વરૂપનું સાધન કરે છે ત્યારે તેનું મન ઇન્દ્રિયરૂપ રહેતું નથી. ૧૦
પુન :
ઇક પદ સાધનકૌ કિય મેલ, તબ મન-ઈદ્રીકા નહિ ખેલ, તાતે મન-ઈદ્રીભેદપદનામ, હૈ અતીન્દ્રી એક મેલ પરનામ. ૧૧.
અર્થ:- એક પદનું અભેદ સાધન કર્યું ત્યારે મનઇન્દ્રિયનો ખેલ ન રહ્યો તેથી મન ઇન્દ્રિય ભેદપદનાં નામ છે; અતીન્દ્રિય એક અભેદ પરિણામ છે, ૧૧.
દોહા :
સ્વ-અનુભવ છન વિર્ષે, મિલૈ સબ બુદ્ધિ પરનામ; તાતેં સ્વ-અનુભવ અતીન્દી, ભયૌ છદ્મસ્તીકો રામ. ૧૨.
અર્થ - સ્વાનુભવના સમયમાં બધા બુદ્ધિપરિણામો એકાગ્ર થાય છે તેથી છદ્મસ્થ જીવને અતીન્દ્રિય સ્વ-અનુભવ આનંદપ્રદ હોય છે. ૧૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com