________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
આત્માવલોકન
દોહરા
ભિન્ન ભિન્ન જોય હિ ઉપરિ, ભએ ભિન્ન થાનકે ઈશ; તાતેં ઈનકો ઇન્દ્રપદ, ધર્યો વીર જગદીશ. ૫
અર્થ :- ઉપયોગના પાંચ ઇન્દ્રિયભેદ ભિન્ન ભિન્ન જ્ઞયો પર ભિન્ન ભિન્ન સ્થાનના (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ.) ના ઇશ થયા. (જાણે છે માટે ઈશ કહેવાય છે, તેથી જ જગતના ઈશ વીર જિનેન્દ્રદેવે તેમને ઇન્દ્રપદ નામ આપ્યું ૫.
શેયહિ લક્ષનભેદક, માનઈ ચિંતઈ જો જ્ઞાન; તાક મનચિત્તસંજ્ઞાધરી, લખિયો ચતુર સુજાન. ૬
અર્થ :- જે જ્ઞાન લક્ષણભેદથી શયોનું મનન કરે, ચિંત્વન કરે તેને મન અથવા ચિત્ત સંજ્ઞા આપવામાં આવી છે. એમ હું ચતુર જ્ઞાની પુરુષ સમજો. ૬.
પુન :નાનદંસનધારા, મનઇંદીપદ ઈમ હોત;
ભી ઈન નામ ઉપચારિસ્યાઁ, કહે દેહ અંગકે ગોત. ૭.
અર્થ :- જ્ઞાનદર્શનધારાને એવી રીતે મનઇન્દ્રિયપદ મળ્યું. વળી શરીરના અંગોને પણ મન ઇન્દ્રય એવાં નામો ઉપચારથી કહ્યાં. ૭.
પુન:
યહુ બુદ્ધિ મિથ્યાતી જીવ હૈ, હોઈ ક્ષયોપશમરૂપ; પૈ સ્વપ૨ ભેદ લખે નહીં, તાતેં નિજ રવિ દેખ ન ધૂપ. ૮
અર્થ :- મિથ્યાત્વી જીવને ક્ષયોપશમરૂપ આવી બુદ્ધિ હોય છે પણ વપરનો ભેદ જાણતો નથી તેથી નિજ સૂર્યને દેખતો નથી (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ મૂળ આત્માને દેખતો નથી), માત્ર તડકાને (અર્થાત્ ઉઘાડરૂપ પર્યાયને) દેખે છે. ૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com